ગુજરાતમાં જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે હવે માત્ર વૃદ્ધોમાં જ નહીં, પરંતુ યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું. પરિવારના એકમાત્ર પુત્રના અચાનક અવસાનથી સગાં-સંબંધીમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
માહિતી મુજબ, રાજકોટની સમરસ હોસ્ટેલ પાસે આવેલા મેદાનમાં રવિવારે (10 ઓગસ્ટ) ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો. સાથી ખેલાડીઓએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ ડૉક્ટરોએ પહોંચતા જ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું.
જૂનાગઢ જિલ્લાના અકાળા ગીર ગામના વતની સાત્વિક રાજકોટમાં રૂમ ભાડે રાખીને સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હતો. પરિવારનો એકમાત્ર પુત્ર ગુમાવતાં તેઓ ઊંડા આઘાતમાં છે.
હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે હાર્ટ એટેકનો ખતરો માત્ર કસરતના અભાવથી જ નહીં, પરંતુ ઊંઘની અછત, વધારે સ્ટ્રેસ, અનિયમિત આહાર, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી પરિસ્થિતિઓથી પણ વધી શકે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સંતુલિત આહાર, બ્લડ પ્રેશર અને શુગરનું નિયંત્રણ તથા તણાવનું મેનેજમેન્ટ અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો
- Shashi Tharoor: હું વિવાદમાં પડવા માંગતો નથી,” થરૂરે રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ પર કહ્યું, “આમંત્રણ નકારવું યોગ્ય નહોતું.”
- Pakistan: ભારત વિરુદ્ધ નવું ષડયંત્ર રચી રહ્યું છે? ધાર્મિક મેળાવડામાં મહિલા જેહાદીઓ દેખાય છે, સુરક્ષા એજન્સીઓ સતર્ક
- South Africa: કુલદીપ યાદવ અને પ્રસિદ્ધના પ્રભાવશાળી પ્રદર્શન પછી, યશસ્વી જયસ્વાલ ચમક્યા, ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી લીધી
- Pm Modi: આઠ ટકા વૃદ્ધિ નવી ગતિનો સંકેત આપે છે’; પીએમ મોદી કહે છે કે ભારત વિશ્વમાં ઉચ્ચ વૃદ્ધિ અને ઓછી ફુગાવા માટે એક મોડેલ બન્યું
- ED એ ‘નકલી’ બેંક ગેરંટી કેસમાં રિલાયન્સ પાવર અને તેની પેટાકંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી





