Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- share market: ભારે કંપનીઓના પ્રભાવથી શેરબજારમાં ધમાલ; રોકાણકારોના ખિસ્સામાં ₹6.50 લાખ કરોડનો ઘટાડો
- pm modiએ બંગાળના લોકોને લખ્યો પત્ર: કહ્યું – ડર પૂરો થયો, હવે આપણને વિશ્વાસની જરૂર છે; દરેક વ્યક્તિ ‘વિકસિત બંગાળ’ માટે પ્રતિબદ્ધ છે.
- japan: ભારતથી જાપાન સુધી… વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, આ 20 દેશોએ તેમના સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે
- Gujarat: હવામાન વિભાગે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જારી કર્યું
- netanyahu: ઈસુની તોડફોડ કરાયેલી પ્રતિમા અંગેના વિવાદ વચ્ચે પીએમ નેતન્યાહૂ IDF સૈનિકો અને કમાન્ડરો સાથે મુલાકાત કરી




