Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: AMCનો થાંભલાને ધાબામાં ચણી લીધો, કાઉન્સિલરની ઓફિસ સામે જ ગેરકાયદે બાંધકામ, તંત્ર સામે ઉઠ્યાં સવાલ
- Ahmedabad: અમદાવાદવાસીઓ સાવધાન! AMCના દરોડામાં 27 ખાદ્ય નમૂનાઓ ખામીયુક્ત મળ્યા, 3 યુનિટ સીલ કરાયા
- Valsad News: દમણથી વડોદરા જઈ રહેલી કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા.
- Gold and silver price update: અમેરિકાના આ નિર્ણયને કારણે ચાંદીના ભાવમાં 9,000 રૂપિયાનો વધારો થયો! સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળી
- Surendranagar: પંચાયત તલાટીઓએ સરકારને ધમકી આપી, મહેસૂલ સહિત વધારાની પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરી




