Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- Pahalgam attack: પહેલગામ હુમલા પર ક્વાડનો કડક સંદેશ, આતંકવાદ સામે કડક કાર્યવાહી પર ભાર
- Kareena Kapoor: શું કરીના કપૂર પ્રભાસની ફિલ્મમાં આઇટમ નંબર કરશે? નિર્માતાઓએ ભારે ફી ઓફર કરી છે
- Ahmedabad: નિકોલમાં ટ્રક નીચે આવી જવાથી યુવકનું મોત, સીસીટીવી ફૂટેજમાં કરુણ ઘટના કેદ
- Ahmedabad: ઘીકાંટા ખાતે ટ્રાફિક કોર્ટમાં એક જ દિવસમાં 11,948 કેસ નોંધાયા
- Gujarat govt: સરકારે રેતી, કાંકરી, માટી પર રોયલ્ટી બમણી કરી, બાંધકામ અને રહેઠાણના ખર્ચમાં વધારો થશે