Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- Gandhinagar: દિવ્યાંગોએ બજેટનો વિરોધ કર્યો, દર મહિને 5,000 રૂપિયા પેન્શનની માંગ કરી.
- Ahmedabad: નરોડામાં રખડતા પ્રાણીઓને પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી હરકત સીસીટીવીમાં કેદ
- Gandhinagar: હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મફત સારવાર મળશે, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- Patan: ગુજરાતમાં વધુ એક ગાયિકાના આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ, જેમાં કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી છે.
- Junagadh: અંબાજી મંદિરમાં મોટું પાપ? મંદિરના ભંડારામાં દારૂ અને માંસાહારી ભોજન સાથે પાર્ટી શરૂ થતાં હોબાળો મચી ગયો, પૂજારી અને અન્ય 11 કર્મચારીઓને સસ્પેન્ડ





