Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- Allahabad High Court : ‘સપા સાંસદે તેમની ચોથી પત્નીને ભરણપોષણ આપવું પડશે’, હાઇકોર્ટે સમાધાન માટે 3 મહિનાનો સમય આપ્યો
- પીએમ મોદીને મહાન માણસ ગણાવતા Donald Trump એ એક બોલ્ડ દાવો કર્યો, જેમાં કહ્યું, “ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં.”
- Weather Forecast : શું વરસાદ ઠંડી વધારશે? ૮ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
- Smriti Mandhana ને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે નોંધપાત્ર પુરસ્કાર મળ્યો, તેણે બીજી વખત આ ICC સ્પેશિયલ એવોર્ડ જીત્યો.
- Leh: લેહ એપેક્સ બોડીએ એક બેઠક યોજી… કાલે શાંતિ કૂચ અને ત્રણ કલાકનો બ્લેકઆઉટ; આ પ્રવૃત્તિ પર પણ ત્રણ મહિના માટે પ્રતિબંધ રહેશે!