મણિપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં કુલ 6 ન્યાયાધીશમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે.

મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ટીમ મણિપુરમાં લાંબા સમયથી થઈ રહેલી હિંસા મામલે તપાસ કરશે. તો સાતે જ મણિપુરના વિવિધ વિસ્તારોમાં ફરી અને સત્ય હકીકતોની તપાસ કરશે.
આ ટીમ હિંસા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની તપાસ કરશે, જેમાં હિંસાના કારણો, હિંસામાં સામેલ વ્યક્તિઓ અને હિંસાને રોકવામાં સરકારની ભૂમિકાનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી મણિપુરમાં મેઇતેઇ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસાની ઘટનાઓ બની રહી છે. આ હિંસામાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે અનેક લોકોએ પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.
આ એસઆઈટી મણિપુર હિંસાની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને હિંસાના પીડિતોને ન્યાય અપાવવામાં મદદ કરશે. રાહત કેમ્પની મુલાકાત લેશે તો સાથે જ સ્થાનિકો સાથે વાત કરી અને હિંસાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
મણિપુર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને વધાવી લઈ અને મણિપુરના હિતનો નિર્ણય હોવાનું જણાવ્યુ હતુ.
આ પણ વાંચો..
- Trump-xinping: ટ્રમ્પ-જિનપિંગ બેઠક, મેડ્રિડમાં યુએસ-ચીન આર્થિક-વેપાર વાટાઘાટો માટે તબક્કો તૈયાર થઈ રહ્યો છે
- North Korea એ અમેરિકા-દક્ષિણ કોરિયા-જાપાન લશ્કરી કવાયતને ખતરો ગણાવ્યો, કહ્યું – શક્તિનું અવિચારી પ્રદર્શન
- Sharad pawar: મરાઠાઓને અનામત આપવાથી SC, ST અને OBC પર અસર પડશે, સરકાર સામાજિક એકતાને નબળી પાડી રહી છે
- America: જો ટેરિફ ઘટાડવામાં નહીં આવે તો અમેરિકા સાથે વેપાર કરવામાં મુશ્કેલી પડશે’, અમેરિકાના વાણિજ્ય મંત્રીએ ભારતને ધમકી આપી
- Nana Patekar: તેઓએ આપણા લોકોનું લોહી વહેવડાવ્યું છે, તેમની સાથે કેમ રમવું’, ભારત-પાકિસ્તાન મેચ પર નાના પાટેકરનું નિવેદન