મણિપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં કુલ 6 ન્યાયાધીશમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે.

મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ટીમ મણિપુરમાં લાંબા સમયથી થઈ રહેલી હિંસા મામલે તપાસ કરશે. તો સાતે જ મણિપુરના વિવિધ વિસ્તારોમાં ફરી અને સત્ય હકીકતોની તપાસ કરશે.
આ ટીમ હિંસા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની તપાસ કરશે, જેમાં હિંસાના કારણો, હિંસામાં સામેલ વ્યક્તિઓ અને હિંસાને રોકવામાં સરકારની ભૂમિકાનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી મણિપુરમાં મેઇતેઇ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસાની ઘટનાઓ બની રહી છે. આ હિંસામાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે અનેક લોકોએ પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.
આ એસઆઈટી મણિપુર હિંસાની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને હિંસાના પીડિતોને ન્યાય અપાવવામાં મદદ કરશે. રાહત કેમ્પની મુલાકાત લેશે તો સાથે જ સ્થાનિકો સાથે વાત કરી અને હિંસાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
મણિપુર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને વધાવી લઈ અને મણિપુરના હિતનો નિર્ણય હોવાનું જણાવ્યુ હતુ.
આ પણ વાંચો..
- Ikkis ચેન્જ્ડ મી,’ અગસ્ત્ય નંદાએ શૂટિંગની વાર્તાઓ જાહેર કરી; બચ્ચન પરિવારના આ નિયમનો ખુલાસો કર્યો
- Bangladesh માં તોફાનીઓએ BNP નેતાના ઘરને આગ લગાવી દીધી, જેમાં 7 વર્ષની બાળકીને જીવતી સળગાવી દીધી
- Shubhman gillને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર રાખવામાં આવ્યો? મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે મોટો ખુલાસો કર્યો
- Assamને ‘પૂર્વ પાકિસ્તાન’નો ભાગ બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પીએમ મોદીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો
- Sonia Gandhi: આ સરકારે મનરેગાને બુલડોઝરથી તોડી નાખ્યું છે, આપણે બધા સામે લડવા માટે તૈયાર છીએ… સોનિયા ગાંધીની ગર્જના





