મણિપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં કુલ 6 ન્યાયાધીશમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે.

મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ટીમ મણિપુરમાં લાંબા સમયથી થઈ રહેલી હિંસા મામલે તપાસ કરશે. તો સાતે જ મણિપુરના વિવિધ વિસ્તારોમાં ફરી અને સત્ય હકીકતોની તપાસ કરશે.
આ ટીમ હિંસા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની તપાસ કરશે, જેમાં હિંસાના કારણો, હિંસામાં સામેલ વ્યક્તિઓ અને હિંસાને રોકવામાં સરકારની ભૂમિકાનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી મણિપુરમાં મેઇતેઇ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસાની ઘટનાઓ બની રહી છે. આ હિંસામાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે અનેક લોકોએ પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.
આ એસઆઈટી મણિપુર હિંસાની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને હિંસાના પીડિતોને ન્યાય અપાવવામાં મદદ કરશે. રાહત કેમ્પની મુલાકાત લેશે તો સાથે જ સ્થાનિકો સાથે વાત કરી અને હિંસાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
મણિપુર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને વધાવી લઈ અને મણિપુરના હિતનો નિર્ણય હોવાનું જણાવ્યુ હતુ.
આ પણ વાંચો..
- Pm birthday: આભાર મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા, પીએમ મોદીએ આ રીતે આભાર વ્યક્ત કર્યો
- Vaishnodevi: નવરાત્રી પહેલા માતાના ભક્તો માટે મોટા સમાચાર: વૈષ્ણોદેવી યાત્રા આવતીકાલથી શરૂ થશે, પરંતુ હજુ પણ એક અવરોધ સામે છે
- PM birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રમતના ચાહક છે, તે આ કારણોસર પ્રિય બની છે
- Devendra fadanvis: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા, પછી આ કહ્યું
- Pm Modi birthday: નવરાત્રિના નવ દિવસ દરમિયાન પીએમ મોદીનો આ છે આહાર, તેઓ ઘણા વર્ષોથી ઉપવાસ કરી રહ્યા છે.