Jamnagar : વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર ૧૯ ના રૂમ નંબર 24માં રહેતા એક ઢોલી ના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરમાં વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 62 વર્ષના વાલ્મિકી બુઝુર્ગ કે જેઓ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્ની ને તેણીના કુટુંબી ને ઘેર મૂકી આવ્યા હતા.

દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને રૂપિયા ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા 1,02,600 ની માલમત્તા ઉઠાવી ગયા હતા.જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને તે જ આવાસમાં રહેતા અલી રજાકભાઈ ભગાડ અને તેના સાથીદાર અશોક અમૃતલાલ વડગામાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 10,500 ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 57,700ની માલમતા કબજે કરી છે. ઉપરાંત અન્ય માલ મત્તા સંબંધે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Trump: ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંક્યો, ફિલિપાઇન્સ-ઇરાક સહિત આ 6 દેશો પર 30% સુધીનો ટેક્સ લગાવ્યો
- Rishabh pant: ગિલ પછી, પંત પણ આ ચર્ચામાં કૂદી પડ્યો, લોર્ડ્સ ટેસ્ટ પહેલા આપ્યું મોટું નિવેદન
- Pushpa 2: પછી ફરી એકવાર અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના સાથે, દીપિકા પછી શ્રીવલ્લી એટલીની ફિલ્મમાં પ્રવેશ કરશે
- Red Sea: લાલ સમુદ્રમાં હુથીઓએ ફરી જહાજ પર હુમલો કર્યો, એક ભારતીય સહિત 6 બચી ગયા; 19 ગુમ
- Islamabad: શાહબાઝ કે મુનીરનું નિવાસસ્થાન… ઇસ્લામાબાદની આ ઇમારતમાં ભારતના ત્રણ દુશ્મનો એકસાથે જોવા મળ્યા નથી, શું કંઈક રંધાઈ રહ્યું છે?