Jamnagar : વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર ૧૯ ના રૂમ નંબર 24માં રહેતા એક ઢોલી ના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરમાં વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 62 વર્ષના વાલ્મિકી બુઝુર્ગ કે જેઓ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્ની ને તેણીના કુટુંબી ને ઘેર મૂકી આવ્યા હતા.

દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને રૂપિયા ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા 1,02,600 ની માલમત્તા ઉઠાવી ગયા હતા.જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને તે જ આવાસમાં રહેતા અલી રજાકભાઈ ભગાડ અને તેના સાથીદાર અશોક અમૃતલાલ વડગામાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 10,500 ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 57,700ની માલમતા કબજે કરી છે. ઉપરાંત અન્ય માલ મત્તા સંબંધે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Virat Kohli જતાની સાથે જ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો આ ખેલાડી, 8 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ
- Trump: પુતિનના દુશ્મનો પ્રત્યે દયાળુ છે ટ્રમ્પ, આ નાના દેશને 800 મિસાઇલો આપશે
- PMની વિપક્ષી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા… નીતિ આયોગની બેઠકમાં રાજકીય ઉષ્માભર્યું વાતાવરણ
- Tej Pratap Yadav: 12 વર્ષથી અનુષ્કા સાથે રિલેશનશિપમાં’, તેજ પ્રતાપ યાદવે પોસ્ટ કરી અને પછી તેને ડિલીટ કરી દીધી
- Assamમાં ‘પાકિસ્તાન સમર્થકો’ વિરુદ્ધ કાર્યવાહી તેજ, અત્યાર સુધીમાં 76 ધરપકડ, વિપક્ષી ધારાસભ્યોને પણ જેલમાં મોકલવામાં આવ્યા