સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી પુરે ભારે તબાહી મચાવી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા ફરજીયાત બાનમાં રહેવાની ફરજ પડી છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા Payal Sakariyaએ શાસકો અને તંત્ર પર ભારે પસ્તાળ પાડી હતી. પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે શરૂઆતના જ વરસાદમાં આખું શહેર પાણી પાણી થઈ ગયું છે. રસ્તો ક્યાં અને જગ્યા ક્યાં એ જ નથી દેખાતું. આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. સુરતની આ હાલત માટે ક્યાંક ને ક્યાંક તંત્રનું પાપ તો ખરું જ,પરંતુ એથી પણ વધારે ભાજપ શાસકોની લાપરવાહી મુખ્ય જવાબદાર છે. ૩૦-૩૦ વર્ષથી સુરત મનપામાં ભાજપ શાસકો શાસન કરી રહ્યા છે, સુરત લોકોએ ખૂબ મોટી બહુમતીથી આ લોકોને ચૂંટીને મોકલ્યા છે, પરંતુ ભાજપ શાસકોની અણ આવડતના કારણે આખા સુરતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. માત્ર આ વર્ષ પૂરતુ જ નહીં, દર વર્ષે આ સમસ્યા ઉદ્દભવે છે. દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે અનિચ્છનીય ઘટનાઓ બને છે, છતાં પણ એના નિરાકરણ માટે કોઈ પગલાં લેવાતા નથી.

Payal Sakariyaએ વધુમાં જણાવ્યું હતુ કે, પ્રિમોન્સુનની કામગીરી પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ કામગીરીના નામે સુરતની પ્રજાને શૂન્ય જ દેખાય છે. ચોમાસા પહેલા સમીક્ષા બેથક ના નામે તાયફા કરવામાં આવે છે. સમીક્ષા બેઠકમાં પણ શાસકો અને અધિકારીઓ નાસ્તા પાણી કરીને છૂટા પડતા હોય તેવું લાગે છે. જો ખરેખર સમીક્ષા કરી હોય તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય જ નહીં. દર વર્ષે ડ્રેનેજ સમસ્યાના નિરાકરણ માટે 500 કરોડ ફાળવવામાં આવે છે. ૫૦૦ કરોડ ફાળવતા પણ ડ્રેનેજ નેટવર્ક જેમનું તેમ જ છે. પ્રજાને ભાગે નિરાશા જ આવે છે. અને ભાજપ શાસકો અને અધિકારીઓના માત્ર ખિસ્સા ભરાય છે. ખિસ્સાનું વજન વધે છે તેથી લોકોની સમસ્યા પર ધ્યાન નથી આપતા. દર વર્ષે ખાડીપુર આવે છે, લોકોને સ્થળાંતર કરવાની દર વર્ષે ફરજ પડે છે તો આનું કાયમી નિરાકરણ કેમ નથી કરતા તેવો સીધો સવાલ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ શાસકોને પૂછ્યો હતો.

વધુમાં પાયલ સાકરિયાએ જણાવ્યું હતુ કે ખાડી પર મોટી મોટી માર્કેટો અને દુનિયાભરના દબાણો થઈ જાય છે તે દૂર કરવાની શાસકોમાં ત્રેવડ નથી કેમકે શાસકોના ખિસ્સા ભરાઈ ગયા છે., તેથી દબાણકર્તાઓને બોલી નથી શકતું. લોકો લોહી પરસેવો એક કરીને વેરો ભરે છે તો તેનું વળતર ભાજપ શાસકો આવી રીતે આપશે ? મેયર પણ સુરતની જનતાની પરવાહ કર્યા વગર ચોમાસાની શરૂઆતમાં વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. અને સુરતના લોકોએ આપદા સહન કરવાનો વારો આવ્યો.

આમ શાસકોની અણઆવડત અને વહીવટી તંત્રની નિષ્ફળતા પર વિપક્ષ નેતાPayal Sakariyaએ બરાબર ઉધડો લીધો હતો.