વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન અમદાવાદ-મુંબઈ ટ્રેન રૂટ પર વટવા નજીક પડી છે. જેના કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે. આ વચ્ચે પશ્ચિમ Railwayના જનરલ મેનેજર એ.કે મિશ્રા ઘટના સ્થળની મુલાકાત માટે નીકળ્યા છે.

પશ્ચિમ Railwayના જનરલ મેનેજર એ. કે. મિશ્રા નડિયાદ સુધી સ્પેશિયલ ટ્રેન મારફતે પહોંચ્યા હતા અને જ્યાં ટ્રેન રોકાવી અને 10થી 12 ગાડીઓના કાફલા સાથે રોડ માર્ગે વટવા જવા માટે રવાના થયા છે. ઘટનાની ગંભીરતા જોતા તેઓએ સ્પેશિયલ ટ્રેનને નડિયાદ રોકાવી અને રોડ માર્ગે જવાની પસંદગી કરી છે.

વટવા રેલવે ટ્રેક નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર ક્રેન પડતા અકસ્માત થયો છે. જેમાં વટવા નજીક Railway લાઈનને નુકસાન થયુ હતુ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તેના કારણે અમદાવાદથી નડિયાદ થઈ વડોદરા તરફ જતો ટ્રેનોનો આખો રૂટમાં અસર થઈ હતી.
ખાસ કરીને વડોદરા તરફની 25 ટ્રેનો આકસ્મિક રદ્દ કરવાની ફરજ પડી હતી, જેથી છેક વટવાથી માંડી ચરોતરમાં નડિયાદ અને આંણદ સહિતના મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા. અમદાવાદ તરફની ટ્રેનો નડિયાદ અને આણંદ સ્ટોપ કરી દેવાઈ હતી, તો આ તરફ અમદાવાદથી પણ ટ્રેનો રદ્દ કરાઈ હતી.
આ પણ વાંચો..
- murmu: રાષ્ટ્રપતિ મુર્મુની ઉત્તર મેસેડોનિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે કરાર થયો
- Hockey: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; 20 ખેલાડીઓની પસંદગીભારતે 15 ઓગસ્ટથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી
- rahul: રાહુલ અને પ્રિયંકાના પીએમ નિવાસસ્થાન બહાર આગમન અને અખિલેશ તેમાં જોડાયા, પોલીસની કાર્યવાહી – ધરણા વિરોધ કેવી રીતે થયો.
- trump: ૧૦૦ વર્ષ જૂના કાયદાનો પહેલી વાર અમલ: ટ્રમ્પે કેનેડિયન માલ પર ૫૦% ટેરિફ લાદ્યો
- Iran: શું ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સીધું યુદ્ધ થવાનું છે? યમનની સરકારે જાહેર કર્યું: હુથીઓને ખતમ કરવાનો સમય આવી ગયો છે




