Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- ipl 2026: પાવરપ્લેમાં ચેન્નાઈએ 2 વિકેટે 62 રન બનાવ્યા; ઋતુરાજ અને કાર્તિક ક્રીઝ પર
- bengal: બંગાળ ચૂંટણીમાં અનિયમિતતાઓ પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી: ફાલ્ટા બેઠક માટે ફરીથી મતદાનનો આદેશ; 21 મેના રોજ 285 બૂથ પર ફરીથી મતદાન યોજાશે
- jaishankar: કેરેબિયન રાષ્ટ્રો સાથે સંબંધો મજબૂત બનશે: જયશંકર જમૈકા, સુરીનામ અને ત્રિનિદાદની મુલાકાત લેશે; મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે
- Akshay Kumar સાથેની “ભૂત બાંગ્લા” ફિલ્મ પછી, વામિકા ગબ્બી આ છ ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર
- Bengal: બંગાળમાં કોની સરકાર બનશે અને સ્થાનિક એજન્સીઓ અને ભદ્રલોક એક્ઝિટ પોલ પંડિતો શું આગાહી કરે છે?




