Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Unemployment: ઓગસ્ટમાં સતત બીજા મહિને ભારતનો બેરોજગારી દર ઘટીને 5.1% થયો, મહિલા કાર્યબળ ભાગીદારી વધી
- Bhavnagar: તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ, સનાતન ધર્મનું અપમાન સહન નહીં
- Germany: સ્થાનિક ચૂંટણીઓમાં મેર્ઝની પાર્ટીને સૌથી વધુ મત મળ્યા, પરંતુ જમણેરી પક્ષ AfD ની લીડ બધા કરતા મોટી છે
- Ahmedabad: હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય આરોપી બિલ્ડરની ધરપકડ
- Ahmedabad: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના દરવાજા ખુલ્યા, કોમનવેલ્થ ગેમ્સ 2030ની મહત્વાકાંક્ષાઓને વેગ મળ્યો