Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- દીકરીઓને ડોક્ટર બનાવવા માટે Gujarat સરકારે તિજોરી ખોલી, આંકડા જોઈને તમને પણ થશે આશ્ચર્ય
- Horoscope: મંગળવારે કોની પર રહેશે ગણેશજીની કૃપા, જાણો તમારું રાશિફળ
- Himachal pradesh: ૨૫૯ રસ્તા બંધ, ૭ જિલ્લામાં પૂરનો ભય… આ વખતે ચોમાસુ હિમાચલમાં તબાહી મચાવી રહ્યું છે
- France: ઇઝરાયલને કોઈ અધિકાર નથી… નેતન્યાહૂના આ મિત્ર ઈરાનના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા
- China: શી જિનપિંગ પછી ચીનમાં બીજા ક્રમના સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે, નવી તસવીર સામે આવી