Ram Navami 2025 : રામનવમીના પવિત્ર અવસરે વાપી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોમાં સુરક્ષાનો ભરોસો બેઠી રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ વલસાડ જિલ્લા પોલીસ વડા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ફ્લેગ માર્ચમાં 200 થી વધુ પોલીસકર્મી, પીએસઆઈ, એલસીબી અને એસઓજી ટીમના સભ્યો જોડાયા હતા. પોલીસ દળ સજ્જ વાહનો સાથે તેમજ પદયાત્રા રૂપે વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારો, સંવેદનશીલ અને ઘણી વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થયું હતું.

એસ.પી. સાહેબે જણાવ્યું હતું કે રામનવમીના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે કાયદો ભંગ કરતી પ્રવૃત્તિ સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ શાંતિ જાળવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈને તુરંત પોલીસને જાણ કરે. પોલીસની આ સતર્કતા અને ફ્લેગ માર્ચને કારણે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો મહેસૂસ થયો હતો.
આ પણ વાંચો..
- delhi: જંતર-મંતર પર ફરી હોબાળો; વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો; 2 ACP સહિત 5 ઘાયલ
- oil: ખાદ્ય તેલ સરકારના બિલને આગળ ધપાવશે; સરકારી તિજોરીમાંથી ₹1.75 લાખ કરોડ ખર્ચવામાં આવશે
- ajay devgan: “ખરી સિંઘમ જંતર-મંતર પર બેઠો છે”; ફિલ્મ ‘સિંઘમ’ ની 15મી વર્ષગાંઠ વિશે પોસ્ટ કર્યા પછી અજય દેવગણ ટ્રોલ થયો
- Rahul gandhi: કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ પેપર લીક થયા; રાહુલ ગાંધી કેમ પસંદગીયુક્ત છે?
- Jaishankar: મનીલામાં જયશંકર-રુબિયો મંત્રણા: સંરક્ષણ અને પશ્ચિમ એશિયા પર ચર્ચા; વેપાર કરાર વિશે શું કહેવામાં આવ્યું?




