Ram Navami 2025 : રામનવમીના પવિત્ર અવસરે વાપી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોમાં સુરક્ષાનો ભરોસો બેઠી રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ વલસાડ જિલ્લા પોલીસ વડા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ફ્લેગ માર્ચમાં 200 થી વધુ પોલીસકર્મી, પીએસઆઈ, એલસીબી અને એસઓજી ટીમના સભ્યો જોડાયા હતા. પોલીસ દળ સજ્જ વાહનો સાથે તેમજ પદયાત્રા રૂપે વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારો, સંવેદનશીલ અને ઘણી વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થયું હતું.

એસ.પી. સાહેબે જણાવ્યું હતું કે રામનવમીના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે કાયદો ભંગ કરતી પ્રવૃત્તિ સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ શાંતિ જાળવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈને તુરંત પોલીસને જાણ કરે. પોલીસની આ સતર્કતા અને ફ્લેગ માર્ચને કારણે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો મહેસૂસ થયો હતો.
આ પણ વાંચો..
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી