Ram Navami 2025 : રામનવમીના પવિત્ર અવસરે વાપી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોમાં સુરક્ષાનો ભરોસો બેઠી રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ વલસાડ જિલ્લા પોલીસ વડા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ફ્લેગ માર્ચમાં 200 થી વધુ પોલીસકર્મી, પીએસઆઈ, એલસીબી અને એસઓજી ટીમના સભ્યો જોડાયા હતા. પોલીસ દળ સજ્જ વાહનો સાથે તેમજ પદયાત્રા રૂપે વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારો, સંવેદનશીલ અને ઘણી વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થયું હતું.

એસ.પી. સાહેબે જણાવ્યું હતું કે રામનવમીના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે કાયદો ભંગ કરતી પ્રવૃત્તિ સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ શાંતિ જાળવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈને તુરંત પોલીસને જાણ કરે. પોલીસની આ સતર્કતા અને ફ્લેગ માર્ચને કારણે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો મહેસૂસ થયો હતો.
આ પણ વાંચો..
- Vikrant: વિક્રાંત મેસીએ નિવૃત્તિ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું, “કામ રાહ જોઈ શકે છે…”
- Epstine જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇન ઇઝરાયલી જાસૂસ હતો… FBI દસ્તાવેજમાં સનસનાટીભર્યો દાવો
- Bangladesh: શેખ હસીનાના ભૂતપૂર્વ મંત્રી અને હિન્દુ નેતાનું જેલમાં અવસાન, બાંગ્લાદેશની ચૂંટણી પહેલા કસ્ટોડિયલ મૃત્યુ અંગે પ્રશ્નો
- Pm Modi:ભારત માટે મલેશિયા કેટલું મહત્વનું છે? પીએમ મોદી બે દિવસના વિદેશ પ્રવાસે પહોંચ્યા
- MEA: અમારા સંબંધો ખાસ છે, પરંતુ અમે સતર્ક છીએ – પાકિસ્તાન સાથે બાંગ્લાદેશની વધતી મિત્રતા પર વિદેશ મંત્રાલય





