Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- BRICS ભાગીદાર દેશો કયા છે અને તેઓ 11 સભ્ય દેશોથી કેવી રીતે અલગ છે? અહીં સંપૂર્ણ વિગત સમજો.
- Mirzapur: સિરીઝથી સિનેમા સુધી: ‘મિર્ઝાપુર’ની સફર — ગુરમીત સિંહે કેવી રીતે મોટા પડદા પર એક ભવ્ય અનુભવ રચ્યો’
- Delhi: દિલ્હીમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગેની વાતચીત ચાલી રહી હતી ત્યારે યુરોપે યુક્રેનને શસ્ત્રો ખરીદવા માટે ₹67,000 કરોડ પૂરા પાડ્યા
- OpenAIનો મહત્વપૂર્ણ દાવો: શું ChatGPTએ ગણિતની સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંથી એકનો ઉકેલ શોધી કાઢ્યો છે? જાણો કેવી રીતે મળ્યો આ ઉકેલ
- pakistan: પાકિસ્તાન અને અમેરિકા દ્વારા ત્યજી દેવાયું: ગલ્ફ સંઘર્ષમાં સાઉદી અરેબિયા એકલું કેમ ફસાઈ ગયું છે?




