Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- WTO બેઠક, FTA પર ચર્ચા, રોકાણકારોને આમંત્રણ… Piyush Goyal ના ફ્રાન્સ-ઇટાલી પ્રવાસમાં શું ખાસ છે
- Nirjala ekadashi: ૬ કે ૭ જૂન… નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે મનાવવામાં આવશે? એક ક્લિકમાં તમારી મૂંઝવણ દૂર કરો!
- શું આ બેંકની તિજોરી IMF કરતા મોટી છે? હવે તે ભારતને 85 હજાર કરોડનો ચેક આપશે
- Air India: હવે હવાઈ મુસાફરી સરળ બનશે, ઈન્ડિગો પછી, એર ઈન્ડિયા આ કામ કરવા જઈ રહી છે
- Yunus: ઝાંખું પડી ગયેલું ભૂગોળ ફરી જીવંત કરવાનો પ્રયાસ, યુનુસ-જિનપિંગ જોડી એક ઘાતક ષડયંત્ર રચી રહી છે