Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- ભારત કયા દેશ સાથે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું એન્જિન બનાવશે? Rajnath Singh એ ખુલાસો કર્યો છે
- આ બે ગરીબ દેશો Pakistan and Bangladesh એકબીજાને કેવી રીતે મદદ કરશે?
- તૈમૂરને લઈ ગયો અને લંગને છોડી દીધો, Kareena Kapoor ના દીકરાના નામ પર ફરી હોબાળો કેમ? તેની વાર્તા બંગાળ ફાઇલ્સ સાથે જોડાયેલી છે.
- Tamannaah: તમન્ના ભાટિયા એકતા કપૂરની ‘રાગિની એમએમએસ 3’ માં જોવા મળશે
- Pakistan: કડક વલણ અપનાવ્યા બાદ પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે ઘૂંટણિયે પડ્યું; કહ્યું- કાશ્મીર, આતંકવાદ સહિત તમામ મુદ્દાઓ પર…