Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- Sushila karki નેપાળની વચગાળાની સરકારના વડા બન્યા, રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો
- Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘુસી ગયો; આઠ લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
- Tarrif: અમેરિકાનો બેવડો સ્વભાવ ફરી સામે આવ્યો, G-7 અને EU ને ભારત અને ચીન પર ભારે ટેરિફ લાદવા કહ્યું
- Shubhaman gill એશિયા કપમાં રનનો વરસાદ નહીં કરી શકે! જાડેજાએ મોટો દાવો કર્યો
- Israel: ૧૦ ફાઇટર જેટમાંથી ૧૦ બોમ્બ ફેંકાયા, ઇઝરાયલે કતારના મજબૂત સુરક્ષા રિંગને કેવી રીતે તોડી નાખ્યું, અમેરિકા પણ સ્તબ્ધ