Gujarat : અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર RPFએ નકલી ટીટી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર શિવ શંકર જેસવાલની ધરપકડ કરી છે. આરોપી મૂળ વારાણસીનો વતની છે. ટિકિટ ચેકિંગના બહાને મજૂરો અને ઓછું ભણેલા લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા વસૂલતો હતો. રાજ્યમાં સમયાંતરે નક્લી લોકો પકડાતા રહે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો છે.
નકલી ટીટી કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી છે. RPFએ આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેથી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે. પોલીસે લોકોને અજાણ્યા ટીટી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
પોલીસે અપીલ કરી છે કે, જો તમને કોઈ ટીટી કે ટિકિટ નકલી લાગે, તો તરત જ રેલવે પોલીસ અથવા રેલવે અધિકારીઓને જાણ કરો. તમે ટ્રેનમાં હાજર ટીટી અથવા ગાર્ડને પણ જાણ કરી શકો છો. જો શક્ય હોય તો, શંકાસ્પદ ટીટીનો ફોટો લો. તમે રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર ફોન કરીને અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
આ પણ વાંચો..
- Sanjay kapoor: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન, પોલો રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોત
- Vikrant messy: અમદાવાદ અકસ્માતથી ભાંગી પડેલા વિક્રાંત મેસી, વિમાન દુર્ઘટનામાં નજીકના વ્યક્તિનું મોત, AI 171 ના સહ-પાયલોટ હતા
- Ahmedabad plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દિલ્હીથી આવેલા આ યુવકે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી
- Ahmedabad plane crash: અકસ્માતમાં બચાવની કોઈ શક્યતા નહોતી, મૃત્યુઆંક ડીએનએ ટેસ્ટ પછી આવશે: અમિત શાહ
- Plane crash: ૧.૪ કરોડ રૂપિયા અને વીમો અલગથી… વિમાન દુર્ઘટના પછી પરિવારના સભ્યોને કેટલું વળતર મળે છે?