પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Trump: ડેટા દર્શાવે છે કે ટ્રમ્પની પાર્ટીને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે
- ameesha patel: શું અમીષાનું હાર્દિક પંડ્યા સાથે અફેર છે? અભિનેત્રીએ અફવાઓનો જવાબ આપ્યો; અહીં તેમના નામ શા માટે જોડવામાં આવ્યા હતા તે અહીં છે
- Pakistan: પાકિસ્તાનમાં ફક્ત 2% મહિલાઓ પાસે જમીન છે; ભારત અને બાકીના વિશ્વમાં શું પરિસ્થિતિ છે?
- RSS: હિન્દુત્વના દ્રષ્ટિકોણથી, વ્યક્તિની ‘કર્મભૂમિ’ (કર્મભૂમિ) એ સ્થાન છે જેના પ્રત્યે વફાદારી રાખવી જોઈએ… RSS વડા મોહન ભાગવત લંડનમાં બોલે છે
- Ahmedabad: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી




