પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- obama: અમેરિકાએ વિમાન દ્વારા ઈરાનને ₹૧૪,૦૦૦ કરોડ રોકડા કેમ મોકલ્યા? ટ્રમ્પે તેને ખંડણી ગણાવી
- IPL 2026: SRH એ જીતનું ખાતું ખોલ્યું, કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી હરાવ્યું
- ‘dhurandhar 2’ એ ઘરેલુ બોક્સ ઓફિસ પર ₹1000 કરોડની નજીક પહોંચી; 15મા દિવસે કમાણી – વિશ્વવ્યાપી રેકોર્ડ બનાવ્યો
- trump: ન તો હોર્મુઝ ખુલ્યું છે, ન તો ઈરાન ઝૂક્યું છે… ટ્રમ્પનો ‘મહાસત્તાનો ઘમંડ’ કેવી રીતે તૂટી રહ્યો છે?
- bridge: અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના સૌથી ઊંચા પુલનો નાશ કર્યો; તેહરાનનો કારાજ સાથેનો સંપર્ક તૂટી ગયો





