પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Ahmedabad ટ્રાફિક પીએસઆઈની નારોલ સર્કલ ખાતે ફરજ પર હાજર રહેવા બદલ ધરપકડ
- Greenery: ગ્રિન કવર’ વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં PPP મોડથી અંદાજે કુલ ૭ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર
- Cyber fraud: ૧.૪૨ લાખ સાયબર છેતરપિંડીના કોલમાં ૭૨ હજાર ગુજરાતના પીડિતોએ ૬૭૮ કરોડ રૂપિયા ગુમાવ્યા; અમદાવાદ, સુરત યાદીમાં ટોચ પર
- Gujaratના શિક્ષકો, પ્રોફેસરોને સંશોધન માટે ₹1 લાખથી ₹3.5 લાખ સુધીની નાણાકીય સહાય મળશે
- IIM અમદાવાદમાં વિદેશી પ્લેસમેન્ટમાં ઘટાડો, 2025 માં ફક્ત બે વિદ્યાર્થીઓને વિદેશમાં સ્થાન મળ્યું





