પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે.
રાજકોટ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.શ્રી બાવળિયાએ ઉમેર્યું કે, આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.

Also Read:
- Indian Navy અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી, એન્ટી-શિપ મિસાઇલ લોન્ચ કરી
- India and Pakistan તણાવ વચ્ચે ચીન પ્રવેશ કરશે કે નહીં? પૂર્વ આર્મી કમાન્ડરે આખી વાત સમજાવી
- IND vs SL : ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી, શ્રીલંકાને 9 વિકેટથી એકતરફી હરાવ્યું
- Pahalgam સીડીએસ અનિલ ચૌહાણ રાજનાથ સિંહને મળ્યા, 40 મિનિટ સુધી ચાલી મુલાકાત
- Suryakumar Yadav એ રોહિત-વિરાટને પાછળ છોડી દીધા, આવું કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યા, ઓરેન્જ કેપ પણ કબજે કરી