India Pakistan War : પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલો કરતાં ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ મીસાઈલને તોડી પાડી હતી.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના કારણોસર ગુજરાતના એક મહત્વપૂર્ણ બંદર પર તમામ કામકાજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાને નકારી શકાય તેમ નથી.આ પરિસ્થિતિની અસર હવે ભારતના પશ્ચિમ કિનારે, ખાસ કરીને ગુજરાતના બંદરો પર પણ જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા અદાણી પોર્ટ પર તમામ કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના ભયને ધ્યાનમાં રાખીને અને સુરક્ષાના કારણોસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુન્દ્રા પોર્ટ ભારતનું એક વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્વનું બંદર છે. પાકિસ્તાન સાથેના તણાવને જોતા, દરિયાઈ સીમા પર અને બંદરોની સુરક્ષા વધારવામાં આવી છે. આ નિર્ણય દરિયાઈ માર્ગે કોઈપણ સંભવિત ઘૂસણખોરી કે હુમલાના પ્રયાસને રોકવા માટે લેવાયેલા સાવચેતીના પગલાનો એક ભાગ છે. પોર્ટ પર તમામ પ્રકારના લોડિંગ અને અનલોડિંગ સહિતના કામકાજ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
આ પણ વાંચો..
- Trump: ટ્રમ્પની ‘કાતર’ના કારણે નાસા પણ મુશ્કેલીમાં: ચંદ્ર-મંગળ જેવા મિશન મુશ્કેલીમાં, 2100 વૈજ્ઞાનિકોની નોકરીઓ જોખમમાં
- Vadodara: વડોદરા અકસ્માતમાં મોટી કાર્યવાહી, ચાર ઇજનેરોને સસ્પેન્ડ; અન્ય પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવાના આદેશ
- Kapil Sharma: કપિલ શર્માના કાફેમાં ગોળીબારનો આદેશ આપનાર કેનેડામાં હરજીત લડ્ડી કેટલો મોટો આતંકવાદી
- Haj 2025: હજ અરજી માટે પાસપોર્ટ પર હવે અટકની જરૂર રહેશે નહીં, અટકની જરૂરિયાત નાબૂદ
- Trump: પ્રશંસાને કારણે ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા, લાઇબેરિયાના રાષ્ટ્રપતિને પૂછ્યું- તમે અંગ્રેજી ક્યાંથી શીખ્યા