Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Paldi: ભાઈના ખૂનનો બદલો લેવા માટે મિત્રો સાથે મળીને કરી હત્યા, પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટનાસ્થળ પર સીન રિક્રિએટ કર્યો
- Gujaratના રાજ્યપાલનો કોમન મેન અવતાર, Maharashtraનો કાર્યભાળ સંભાળવા માટે પકડી તેજસ એક્સપ્રેસ – વિડિઓ
- Ahmedabad: 14 વર્ષ પછી બળાત્કાર કેસમાં ચુકાદો, કોર્ટમાં એકમાત્ર સાક્ષીની અધૂરી જુબાનીને કારણે આરોપી નિર્દોષ જાહેર કર્યો
- વીર સાવરકર કેમ્પસના ઉદ્ઘાટન બાદ અમિત શાહે કહ્યું, Ahmedabad ટૂંક સમયમાં ભારતનું ‘રમતગમત રાજધાની’ બનશે
- અડાણી ઈન્ડસ્ટ્રીઝમાં કર્મચારીની હત્યાः હાથ-પગ બાંધીને ઝાડીઓમાં ફેંક્યો મૃતદેહ