Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Minister Sharan Prakash Patil : ‘જો બાળકો તેમના માતાપિતાને હોસ્પિટલમાં છોડી જાય, તો તેમને તેમના માતાપિતાની મિલકત ન આપવી જોઈએ’, મંત્રીનું મોટું નિવેદન
- Ukraineની નવી મિસાઈલ ‘નેપ્ચ્યુન’ રશિયામાં ખળભળાટ મચાવશે, 1000 કિમી સુધી હુમલો કરશે!
- ‘માંસ, માછલી અને દારૂ…’, જાણો કયા ધામમાં Non-Hindus ઓ પર પ્રતિબંધની માંગ ઉઠી છે, શું છે કારણ?
- Rehmanને શા માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા? સત્ય પ્રગટ થયું
- Bangladesh કોર્ટે 20 વિદ્યાર્થીઓને ફાંસીની સજા ફટકારી