Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Pakistan: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જમ્મુ-કાશ્મીરના ઉરી અને પૂંછ સેક્ટરમાં ગોળીબાર કર્યો
- Kutch: કચ્છ જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ, CM એ ટ્વીટ કરીને આપી માહિતી
- Pakistan સાથેના યુદ્ધ વચ્ચે ચીન પર શંકા વધી, જાણો કેમ કહી રહ્યા છે નિષ્ણાતો – દુશ્મનને ઓળખવાની જરૂર છે
- શું એશિયા કપને બદલે સપ્ટેમ્બરમાં IPL યોજાઈ શકે છે, BCCI માટે તે શ્રેષ્ઠ વિકલ્પ કેમ છે?
- Tahwwur Rana ને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ન્યાયિક કસ્ટડી 6 જૂન સુધી લંબાવવામાં આવી