Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Ahmedabadમાં એક મજૂર પર કરવામાં આવ્યો ક્રૂર હુમલો, ઉકળતું તેલ ફેંકવાથી ગંભીર રીતે દાઝી ગયો
- Gujaratમાં દોડી રહી છે 75 જોડી ખાસ ટ્રેનો, આ મુજબ છે દિવાળી માટેની ટ્રેનોના નામ અને સમય
- Gujaratમાં જૈન સમુદાયે 186 લક્ઝરી કાર ખરીદી, 21 કરોડ રૂપિયા બચાવ્યા
- Horoscope: આજે દિવાળી… કોને થશે લાભ અને નુકસાન, જાણો એક ક્લિક પર તમારું રાશિફળ
- Communist party: ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી આવતીકાલે બેઇજિંગમાં એક મહત્વપૂર્ણ બેઠક, આગામી પાંચ વર્ષ માટે તેની યોજનાઓ શું છે?