Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Anant nag: પદ્મ ભૂષણ બાદ દાદાસાહેબ ફાળકે સન્માન મેળવનાર દિગ્ગજ અભિનેતા; ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે; વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા
- nepal: મૃત્યુઆંક ૧,૪૦૦ને પાર, ૬,૦૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા; નેપાળમાં અત્યારે શું સ્થિતિ છે?
- Rishabh pant: ટીમ ઈન્ડિયાની જાહેરાત: પંત બહાર, બે નવા ખેલાડીઓનો સમાવેશ
- MEA: પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ અસ્તિત્વમાં નથી… ભારતે ‘બાઉન્ડ્રી જોઈન્ટ કમિશન’ (સંયુક્ત સરહદ પંચ) ને નકારી કાઢ્યું
- pm modiનો 76મો જન્મદિવસ: શત્રુઘ્ન સિન્હાએ એક દિવસ પહેલાં જ કેમ શુભેચ્છા પાઠવી? તેમણે જણાવ્યું રસપ્રદ કારણ




