હાર્દિક દેવકીયા દ્વારા..
Gujarat : બોટાદ જિલ્લાના મહા તીર્થધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો શતામૃત મહોત્સવ તથા હનુમાનજી પ્રાગટ્યોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક અને રાજ્યના રંગોળી કલાકાર શિક્ષકે 451 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. જે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની હતી.

નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના હિતેશકુમાર બ્રહ્મટભટ્ટ દ્વારા સાળંગપુર ખાતે આકર્ષક રંગોળી તૈયાર કરાઈ હતી. જે તૈયાર કરવામાં 18 કલાકનો સમય લાગ્યો હતો અને 170 કિલો રંગોળી રંગનો ઉપયોગ કરાયો હતો.

આ રંગોળી બનાવવામાં નડિયાદના પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટ, મૌલેશકુમાર બ્રહ્મભટ્ટ, અલ્પેશકુમાર પટેલ, મિલનકુમાર પટેલ, જૈનમ કુમાર ભાવસાર, આશિષકુમાર સુથાર, રવિકુમાર ડોડાણી, નંદકુમાર સુથાર અને ઉજાસ કુમાર પ્રજાપતિએ પણ મદદ કરી હતી.

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેન પૂ.ડૉ,સંતવલ્લભ સ્વામીની પ્રેરણા અને સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના પૂ.ધર્મ કિશોરસ્વામીના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય કાર્ય કરાયુ હતુ. આ 451 ફૂટની વિશાળ રંગોળી દેશ-પરદેશના લાખો દર્શનાર્થીઓમાં વિશેષ આકર્ષણરૂપ બની હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તાજેતરમાં જ વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. આ શિક્ષક આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે પોતાના વિવિધ કલા કૌશલ્યનો સેવામય રીતે ઉપયોગ કરી ખેડા જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે.
આ પણ વાંચો…
- Abhijeet: તુર્કી સાથેના સંબંધો અંગે અભિજીતે આમિર ખાન પર પ્રહારો કર્યા, શાહરૂખ ખાન પર પણ સૂક્ષ્મ રીતે કટાક્ષ કર્યો
- Pushkar: વિશ્વનું એકમાત્ર બ્રહ્મા મંદિર, જ્યાં બ્રહ્માંડના સર્જનહાર રહે છે
- ૧૮ મે સુધી યુદ્ધવિરામ ચાલુ રહેશે… યુદ્ધવિરામ અંગે પાકિસ્તાનનું નવું નિવેદન
- Pakistan ક્રિકેટ ટીમની પસંદગી હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર કેપ્ટન સરફરાઝ અહેમદ દ્વારા પસંદગી સમિતિમાં કરવામાં આવશે!
- ISIS અમેરિકા પર હુમલો કરવાના હતા, દેશને બચાવી લેવામાં આવ્યો, FBI એ કર્યો મોટો ખુલાસો