Gujarat : અમરેલીના બગસરા તાલુકાના ખીજડીયા ગામમાં ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણમી છે. ગંભીર હિંસક બનાવમાં તલવાર અને કુહાડી વડે થયેલી મારામારીમાં કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા થઈ છે.
મૃતકના પુત્ર રાજદીપ વાળા આ મારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજદીપને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સામેના પક્ષના જયરાજ વાળાને પણ ઈજાઓ પહોંચી છે. હત્યા અને ઈજાઓના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટના કુટુંબમાં જમીન સંબંધિત વિવાદના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયા ગામે ખેલાયેલા આ હિંસક ધિંગાણાં મામલે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના બગસરાની આ ઘટનાના આખા જિલ્લામાં પડઘા પડ્યા છે. નજીવી બાબતે કુટુંબીઓ દ્વારા જ આધેડને પતાવી દેતા ચકચાર મચી છે. આ સિવાય પોલીસ અને કાયદાને પણ લોકોને ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો..
- Nigeriaમાં બંદૂકધારીઓએ વિનાશ મચાવ્યો, આઠ સૈનિકો માર્યા
- Virat-rohit બંને 2027 વર્લ્ડ કપ રમશે… ટ્રેવિસ હેડે આ વાત કહેતાની સાથે જ અક્ષર પટેલના હાવભાવ બદલાઈ ગયા
- Crypto trading: ઓનલાઈન ‘ક્રિપ્ટો ટ્રેડિંગ’ કૌભાંડમાં ₹1.84 કરોડની છેતરપિંડીનો ભોગ બનેલા વરિષ્ઠ નાગરિક
- Silver: અમદાવાદ એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાંથી ₹16 લાખની કિંમતનો ચાંદીનો બાર ચોરાયો, એરલાઇનના કર્મચારી સામે ગુનો નોંધાયો
- Mehul Choksi: ભાગેડુ મેહુલ ચોક્સીને મોટો ફટકો પડ્યો, કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી; અપીલના આદેશ સામે અપીલ કરશે