Gujarat : સંઘપ્રદેશ દમણમાં સોમવારના રોજ સોમવતી અમાસના નિમિત્તે દરિયામાં ઉંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા tidal activity અંગે આગાહી આપવામાં આવતા બપોરના સમયે ભરતી દરમિયાન દરિયામાં તીવ્ર પ્રવાહ અને કરંટ સાથે મોજા ઊંચાઈએ ઉછળ્યા હતા.
દમણના નમોપથ વિસ્તારમાં દરિયાના મોજા દીવાલ સાથે જોરથી અથડાતા મોજાનું પાણી સીધું રસ્તા સુધી પ્રસરી ગયું હતું. મોજાંનું દ્રશ્ય એટલું ભયાનક અને જોવાલાયક હતું કે રસ્તા ઉપર સુધી છાંટાં પડતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં દહેશત પણ જોવા મળી હતી.
જોકે બીજી તરફ ઉંચા મોજા વચ્ચે ફરવા આવેલા પર્યટકો માટે આ એક અનોખો અનુભવ સાબિત થયો. ઘણા પર્યટકો મોજાં ઉછળતું દ્રશ્ય પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા અને કેટલીક યુવાનો મોજાંના પાણીમાં ભીંજાવાની મજા પણ લેતા જોવા મળ્યા.
હાલમાં દરિયામાં ઉછળતાં મોજાંને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકો માટે સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે અને દરિયાકાંઠે જતા ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Sanjay kapoor: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન, પોલો રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોત
- Vikrant messy: અમદાવાદ અકસ્માતથી ભાંગી પડેલા વિક્રાંત મેસી, વિમાન દુર્ઘટનામાં નજીકના વ્યક્તિનું મોત, AI 171 ના સહ-પાયલોટ હતા
- Ahmedabad plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દિલ્હીથી આવેલા આ યુવકે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી
- Ahmedabad plane crash: અકસ્માતમાં બચાવની કોઈ શક્યતા નહોતી, મૃત્યુઆંક ડીએનએ ટેસ્ટ પછી આવશે: અમિત શાહ
- Plane crash: ૧.૪ કરોડ રૂપિયા અને વીમો અલગથી… વિમાન દુર્ઘટના પછી પરિવારના સભ્યોને કેટલું વળતર મળે છે?