Gujaratના વલસાડના ઉમરગામમાં આકસ્મિક આગનો બનાવ ગતમોડી સાંજે બન્યો હતો. આ આગ એટલી વિક્રાળ હતી કે ફાયરની ટીમે હજારો લિટર પાણીનો મારો ચલાવ્યો છતાં કાબુમા આવી નહોતી.
મળતી માહિતી મુજબ Gujaratના ઉમરગામ તાલુકાના સંજાણ કોળીવાડ વિસ્તારમાં કચરામાં આગનો બનાવ બન્યો હતો. જેના કારણે દોડધામ મચી ગઈ હતી, ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

જો કે, ઘટના સ્થળે વેસ્ટ કચરો એટલા મોટા પ્રમાણમાં હતો કે, આગ ખૂબ સખત ફેલાતી ગઈ હતી. જો કે, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યે રાખઅયો હતો. તે બાદ ફાયર વિભાગે વધુ 2 ફાયર ફાઈટર ગાડીઓ બોલાવી હતી. જે બાદ અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, Gujaratમાં ઉનાળો અને તેમાંય માર્ચ મહિનો શરૂ થતા અનેક સ્થાનોએ આગના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે વલસાડના ઉમરગામમાં લાગેલી આગ પર આજે કાબુ મેળવી લેવાયો છે.
આ પણ વાંચો…
- Mardani 3: ઇન્ડસ્ટ્રી એક થઈ ગઈ છે,” રાની મુખર્જીએ સેલિબ્રિટીઝનો તેમની શુભકામનાઓ માટે આભાર માન્યો; “મર્દાની 3” વિશે આ કહ્યું
- Zodiac Casino Promo Code 2024 for New Players and Bonus Offers
- Elon musk: એપ્સ્ટેઇન મસ્ક જેમને ઘૃણાસ્પદ ગણાવ્યા હતા તેમની સાથે અંગત સંબંધોના પુરાવા બહાર આવ્યા છે અને ગુપ્ત વાતચીત પણ સામે આવી
- Budget: ટ્રમ્પના ટેરિફને સંબોધવામાં બજેટ કેવી રીતે અસરકારક સાબિત થઈ શકે છે? દેશ આ પગલાંઓ પર નજર રાખશે
- T20: 4-1… ભારતે T20 વર્લ્ડ કપ પહેલા ‘પરીક્ષા’ પાસ કરી, ન્યૂઝીલેન્ડને કચડી નાખ્યું





