Gujaratના વલસાડના ઉમરગામમાં આકસ્મિક આગનો બનાવ ગતમોડી સાંજે બન્યો હતો. આ આગ એટલી વિક્રાળ હતી કે ફાયરની ટીમે હજારો લિટર પાણીનો મારો ચલાવ્યો છતાં કાબુમા આવી નહોતી.
મળતી માહિતી મુજબ Gujaratના ઉમરગામ તાલુકાના સંજાણ કોળીવાડ વિસ્તારમાં કચરામાં આગનો બનાવ બન્યો હતો. જેના કારણે દોડધામ મચી ગઈ હતી, ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

જો કે, ઘટના સ્થળે વેસ્ટ કચરો એટલા મોટા પ્રમાણમાં હતો કે, આગ ખૂબ સખત ફેલાતી ગઈ હતી. જો કે, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યે રાખઅયો હતો. તે બાદ ફાયર વિભાગે વધુ 2 ફાયર ફાઈટર ગાડીઓ બોલાવી હતી. જે બાદ અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, Gujaratમાં ઉનાળો અને તેમાંય માર્ચ મહિનો શરૂ થતા અનેક સ્થાનોએ આગના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે વલસાડના ઉમરગામમાં લાગેલી આગ પર આજે કાબુ મેળવી લેવાયો છે.
આ પણ વાંચો…
- Myanmar Earthquake થી મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં 2700 લોકોના મોત
- Pakistan માં સગીર છોકરી પર સગાઓએ બળાત્કાર કર્યો, પોલીસે એન્કાઉન્ટરમાં 4ને ઠાર માર્યા
- Fawad Khan : પાકિસ્તાનના કિંગ ઓફ રોમાન્સ બોલિવૂડમાં પાછા ફરશે, પહેલી ઝલક સામે આવી
- ‘વાસ્તવિક પીડા હજુ સહન કરવાની બાકી છે, આપણે હમણાં જ શરૂઆત કરી છે’ Donald Trump
- આ ખેલાડીએ Arjun Tendulkar નો રસ્તો રોક્યો, હવે પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે એન્ટ્રી મળશે