Gujaratના વલસાડના ઉમરગામમાં આકસ્મિક આગનો બનાવ ગતમોડી સાંજે બન્યો હતો. આ આગ એટલી વિક્રાળ હતી કે ફાયરની ટીમે હજારો લિટર પાણીનો મારો ચલાવ્યો છતાં કાબુમા આવી નહોતી.
મળતી માહિતી મુજબ Gujaratના ઉમરગામ તાલુકાના સંજાણ કોળીવાડ વિસ્તારમાં કચરામાં આગનો બનાવ બન્યો હતો. જેના કારણે દોડધામ મચી ગઈ હતી, ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

જો કે, ઘટના સ્થળે વેસ્ટ કચરો એટલા મોટા પ્રમાણમાં હતો કે, આગ ખૂબ સખત ફેલાતી ગઈ હતી. જો કે, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યે રાખઅયો હતો. તે બાદ ફાયર વિભાગે વધુ 2 ફાયર ફાઈટર ગાડીઓ બોલાવી હતી. જે બાદ અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, Gujaratમાં ઉનાળો અને તેમાંય માર્ચ મહિનો શરૂ થતા અનેક સ્થાનોએ આગના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે વલસાડના ઉમરગામમાં લાગેલી આગ પર આજે કાબુ મેળવી લેવાયો છે.
આ પણ વાંચો…
- Amit Mishra: 3 હેટ્રિક લેનાર ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, કારકિર્દીમાં 1000 થી વધુ વિકેટ લીધી
- Ahmedabad: વસ્ત્રાપુર સરકારી ક્વાર્ટરમાં ગુજરાત વહીવટી સેવાના અધિકારીએ આત્મહત્યા કરી
- NIRF ranking 2025: IIT મદ્રાસ એકંદર અને એન્જિનિયરિંગ શ્રેણીમાં ટોચ પર, IIM અમદાવાદ મેનેજમેન્ટમાં ટોચ પર
- 30 વર્ષના શાસન બાદ પણ ભાજપે જનતા માટે સારા રોડ પણ નથી બનાવ્યા: Manoj Sorathia
- Jamnagar: રીલ બનાવવાની ઘેલછા યુવાન પર ભારે પડી, કાર સાથે ડેમમાં ખાબક્યો, ગ્રામજનોએ બચાવ્યો