Gujarat : આજ રોજ મોરબીના પીપળીયા રાજ ગામ પાસે આવેલા ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ભીષણ આગ લાગી છે. આ મિલ મીતાણાથી વાંકાનેર તરફના રોડ પર આવેલી છે. આગ ખૂબ જ વિકરાળ બની ગઈ છે અને મોટી માત્રામાં કપાસ બળીને ખાક થઇ ગયો છે.
આ આગના કારણે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, અને મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટની ફાયર ટીમો ઘટના સ્થળે પહોચી છે. સ્થળ પર આગને કાબૂ કરવા માટે મોટાં પ્રયત્નો ચાલી રહ્યા છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ અને નુકસાનની માહિતી હાલ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ આગના કારણે વિશાળ નુકસાન થઈ હોવાની આશંકા છે.
ફાયર ફાઇટિંગ ટીમો સઘન પ્રયાસો કરી રહી છે, અને આશા છે કે આગને ટૂંક સમયમાં કાબૂમાં લઇ લેવામાં આવશે તેમ પણ ફાયર વિભાગે જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- PM Modi ને ઇથોપિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, “ગ્રેટ ઓનર નિશાન” પ્રાપ્ત થયો, એમ કહીને કે તે ૧.૪ અબજ લોકોના સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.
- ઇઝરાયલ પહોંચેલા S Jaishankar એ સિડની હુમલાની નિંદા કરી અને આતંકવાદ પર એક મોટું નિવેદન આપ્યું.
- Pm Modi ને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું, કહ્યું કે આ એક સૌભાગ્ય
- અમેરિકાએ ભારતને ત્રણ અપાચે એટેક હેલિકોપ્ટર સોંપ્યા. તેને Flying Tanks કેમ કહેવામાં આવે છે?
- ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પછી 10 મિલિયનથી વધુ મતદારોને દૂર કરવામાં આવ્યા; સંપૂર્ણ વિગતો જાણો





