Gujaratમાં અમરેલીના રાજુલાના ડુંગર જગાત નાકા ફાટક પાસે અજાણ્યી યુવતીનું ટ્રેન હડફેટે આવતા કરૂણ મોત નીપજ્યુ છે. યુવતી આકસ્મિક ટ્રેનની અડફેટે આવી હોવાની માહિતી મળી છે. હાલ તો પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.

રાજકોટથી પીપાવાવ જઈ રહેલી માલગાડીની અડફેટે આજે એક યુવતી આવી ગઈ હતી. Gujaratના અમરેલીમાં રાજુલા નજીક બનેલી આ ઘટનામાં અજાણી યુવતીનું ટ્રેન અડફેટે મોત નીપજ્યુ છે. આ ઘટનાની જાણ થતા આસપાસથી લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.

આ ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી અને 108ને પણ જાણ કરી હતી. હાલ તો રાજુલા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે. જ્યાં યુવતીના મૃતદેહને 108 મારફતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવતીના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યો છે.

બીજીતરફ રાજુલા પોલીસ દ્વારા આ યુવતીની ઓળખ કરવાની પ્રયાસ હાથ ધરાયા છે. યુવતી ક્યાં રહેતી હતી તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો..
- જાપાન રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાની કિટને લઈને સમસ્યાઓ; BCCIએ હોટેલનું બુકિંગ જાતે કેમ કર્યું?
- RBI Update: બેંક ગ્રાહકો માટે RBIનો મોટો નિર્ણય, સાયબર ફ્રોડમાં રાહત પણ શંકાસ્પદ વ્યવહારોમાં મુશ્કેલી, ડ્રાફ્ટ તૈયાર
- Sabarkantha: હિંમતનગરના બળવંતપુરા ગેટ ટ્રેનની અડફેટે આવતા BSc નર્સિંગની વિદ્યાર્થીનીનું મોત
- Sports Update: BCCIમાં મોટો ફેરફાર, અજીત અગરકરે મુખ્ય પસંદગીકાર પદ છોડી દીધું! AGMના નવીનતમ અપડેટ્સ
- Banaskantha: નવા અંબાજી રેલ્વે સ્ટેશનનું કામ ત્રણ વર્ષમાં માત્ર 13% પૂર્ણ થયું છે! મુસાફરોએ હજુ ત્રણથી ચાર વર્ષ રાહ જોવી પડશે




