નડિયાદમાંથી Gujarat ATSની ટીમે પંજાબમાં હત્યાના ગુનાના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગયા મહિને બનેલી એક હત્યાની ઘટનામાં બંને આરોપીઓ ફરાર હતા, જે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરચાલીમાં રહેતા હતા.

મળતી માહિતી મુજબ મૂળ પંજાબના બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘને Gujarat ATSની ટીમે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની મજૂરચાલીમાંથી ઝડપી પાડ્યા છે. બંને અત્રે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

આ બંને આરોપીઓ પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી એક હત્યાના ગુનામાં ફરાર હતા. Gujarat એટીએસ દ્વારા બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, જ્યાં બંને અન્ય એક હત્યાના કાવતરામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે Gujarat એટીએસ દ્વારા બંનેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…
- Petrol: આ આઠ પરિબળો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે
- accident in Botad: સિમેન્ટ ભરેલો ટ્રક ખાડામાં પલટી ગયો, 2 ના મોત અને 3 ઘાયલ
- Gir Somnath: રસ્તા પર જન્મદિવસની ઉજવણી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ 11 યુવાનોની ધરપકડ કરાઈ
- Panchmahal: દીપડાનો આતંક, 7 વર્ષના છોકરા પર હુમલો, મચ્છરદાનીએ તેનો જીવ બચાવ્યો
- Gujarat: પાટીદાર અનામત આંદોલનનો વધુ એક કેસ પરત, ગુજરાત સરકારે હાર્દિક પટેલ સહિત 17 સામેનો ગુનો પાછો ખેંચ્યો




