નડિયાદમાંથી Gujarat ATSની ટીમે પંજાબમાં હત્યાના ગુનાના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગયા મહિને બનેલી એક હત્યાની ઘટનામાં બંને આરોપીઓ ફરાર હતા, જે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરચાલીમાં રહેતા હતા.

મળતી માહિતી મુજબ મૂળ પંજાબના બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘને Gujarat ATSની ટીમે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની મજૂરચાલીમાંથી ઝડપી પાડ્યા છે. બંને અત્રે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

આ બંને આરોપીઓ પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી એક હત્યાના ગુનામાં ફરાર હતા. Gujarat એટીએસ દ્વારા બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, જ્યાં બંને અન્ય એક હત્યાના કાવતરામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે Gujarat એટીએસ દ્વારા બંનેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…
- Pakistan: ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટમાં 15 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
- Rain in Gujarat: ગુજરાતના હવામાનમાં પલટો, મોરબીના માળિયામાં મહત્તમ 5 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
- government colleges: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દીપપ્રાગટ્ય સમારોહમાં સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત બેસવા અંગે રોષ
- Valsad: ઉમરગામના સંજણ ગામમાં રાત્રિના અંધારામાં એક કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત, બે લોકોની હાલત ગંભીર
- Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક ૧૨ લાખ રૂપિયાનો દારૂ લઈ જતો ટ્રક પકડાયો; ૨૭ લાખ રૂપિયાનો દારૂ જપ્ત




