નડિયાદમાંથી Gujarat ATSની ટીમે પંજાબમાં હત્યાના ગુનાના 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગયા મહિને બનેલી એક હત્યાની ઘટનામાં બંને આરોપીઓ ફરાર હતા, જે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરચાલીમાં રહેતા હતા.

મળતી માહિતી મુજબ મૂળ પંજાબના બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘને Gujarat ATSની ટીમે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની મજૂરચાલીમાંથી ઝડપી પાડ્યા છે. બંને અત્રે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

આ બંને આરોપીઓ પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી એક હત્યાના ગુનામાં ફરાર હતા. Gujarat એટીએસ દ્વારા બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, જ્યાં બંને અન્ય એક હત્યાના કાવતરામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે Gujarat એટીએસ દ્વારા બંનેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…
- elon musk: શું ગ્રોક કમ્પ્યુટર ક્ષિતિજ પર છે? એલોન મસ્કના પ્રતિભાવથી ઉન્માદ ફેલાયો
- pm modi: પશ્ચિમ એશિયા કટોકટી અંગે પીએમ મોદીની બેઠક ચાલુ; પેટ્રોલિયમ મંત્રી અમિત શાહ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા
- Kochi: કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર પાસે ડ્રોન ઉડાવવા બદલ બે અમેરિકી પ્રવાસીઓ સામે કેસ નોંધાયો; ચેતવણી પછી મુક્ત
- પશ્ચિમ એશિયાના સંકટમાં G7 રાષ્ટ્રોએ હસ્તક્ષેપ કર્યો; ગલ્ફ દેશો પર હુમલાઓ અંગે ઈરાનને ચેતવણી આપી
- Delhi: અમે મુંબઈ અને દિલ્હી પર હુમલો કરીશું… ભૂતપૂર્વ પાકિસ્તાની હાઈ કમિશનર અબ્દુલ બાસિતે અમેરિકાનો ઉલ્લેખ કરીને આવું કેમ કહ્યું?





