Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- કુટુમ્બ પ્રબોધનનું કાર્ય 6 મુદ્દાઓ પર ચાલે છે, RSS સુપ્રીમો ભાગવતે કાર્યકરોને આ પાઠ આપ્યો
- Breaking News : લખનૌમાં ગરીબ રથ ટ્રેનને પલટી નાખવાનું કાવતરું નિષ્ફળ ગયું
- મોટા ઉદ્યોગપતિઓનો Adani ગ્રુપ પર વિશ્વાસ વધ્યો, GQG અને LIC એ તેમનો હિસ્સો વધાર્યો
- Waqf bill: સરકારે સુપ્રીમ કોર્ટને હમણાં વચગાળાનો આદેશ ન આપવાનું કેમ કહ્યું, આ 3 મુદ્દા બન્યા કારણ
- Rahul Gandhiના 2 પ્રકારના ઘોડા, ગુજરાતમાં કોંગ્રેસની રણનીતિ સમજાવી