Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- આમ આદમી પાર્ટીનો સરકારને અલ્ટીમેટમ, ડ્રગ નેટવર્ક પર લગામ લગાવો: Payal Sakaria AAP
- CM Bhupendra Patelની સૌજન્ય મૂલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ
- Horoscope: 18 માર્ચે મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ
- iran: ઈરાન સાથેના યુદ્ધમાં કોઈની મદદની જરૂર નથી; એકલું અમેરિકા પૂરતું છે… ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે નાટો પર પ્રહારો કર્યા
- Nana Patekar: તમે હવે કોઈ સ્ટારને મળી શકતા નથી’: નાના પાટેકરે અભિનેતાઓના સ્ટાફ ખર્ચ પર નારાજગી વ્યક્ત કરી; કહ્યું—‘અમિતાભ અને હું…’





