પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- ramayan: ‘રામાયણ ભાગ ૧’નું ટ્રેલર લીક: શું ટ્રેલર લીક થયું છે? ફિલ્મ નિર્માતાઓએ કાનૂની કાર્યવાહી કરી
- mallikarjun kharge: સંસદમાં સરકારને ઘેરવા માટે વિપક્ષ તૈયાર; રામ મંદિર અને પેપર લીક પર જવાબો માંગે છે ખડગે
- Trump: અમેરિકાના હુમલાથી ઈરાન ફરી હચમચી ગયું: ટ્રમ્પે કહ્યું કે શહીદ સૈનિકોના સન્માનમાં કાર્યવાહી; તેમણે હોર્મુઝ વિશે શું દાવો કર્યો?
- iran: શું જોર્ડનના સૈનિકોએ IRGC ને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી? ઈરાનનો દાવો છે કે 20 અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા
- Amitabh bachchan: ‘આંખોમાં આંસુ’: સ્પેનની જીત અને મેસ્સીની હાર પર અમિતાભ બચ્ચન ભાવુક થયા; પોસ્ટ શેર કરી




