પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- દિલ્હી હાઈકોર્ટે ‘Udaipur Files’ પર પ્રતિબંધ મૂક્યો, નિર્માતાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા
- Fit India: સમોસા-કચોરીમાં કેટલું તેલ અને ખાંડ હોય છે? સરકારી કચેરીઓમાં બોર્ડ લગાવવામાં આવશે; સ્થૂળતા સામે કેન્દ્રનું અભિયાન
- Russia: રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર, ઝેલેન્સકીએ યુલિયાને પીએમ ખુરશી સોંપી
- બોઇંગ વિમાનોની ફ્યુઅલ સ્વિચ લોકીંગ સિસ્ટમ તપાસવા માટે DGCA ના એરલાઇન્સને કડક નિર્દેશ
- S Jaishankar એ સિંગાપોરમાં નાયબ વડા પ્રધાન ગન કિમ યોંગ સાથે મુલાકાત કરી, ભારતમાં રોકાણ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે