પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Wikipedia: મહિલા વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવી, વિકિપીડિયા પર ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી
- China: દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી જતી દખલગીરીથી અમેરિકા ગુસ્સે; આસિયાન દેશોને કડક વલણ અપનાવવા વિનંતી
- Australiaમાં તક ગુમાવ્યા બાદ, ભારત પરત ફરતી વખતે જયસ્વાલનું બેટ ધમાકેદાર રહ્યું, જેના કારણે તેણે ઘણા રન બનાવ્યા
- Ayushman khurana: દુનિયાની ધમાલ વચ્ચે, આયુષ્માન ખુરાનાની પત્ની તેને “સ્ટોપર” કહે છે, તેમના લગ્નની વર્ષગાંઠ પર ફોટા શેર કર્યો
- Pravasi parichay: ભારતીય સંસ્કૃતિ રિયાધને મોહિત કરે છે, સાંસ્કૃતિક ઉત્સવ “પ્રવાસી પરિચય” ની ત્રીજી આવૃત્તિ શરૂ થઈ રહી છે





