પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- ECI એ બંગાળમાં BLO મોબાઇલ એપમાં નવો વિકલ્પ ઉમેર્યો, જેનાથી 3.2 મિલિયન મતદારોને ફાયદો થયો
- Budget: કેન્દ્રીય બજેટ 2026 જાહેર અભિપ્રાય પર આધારિત હશે; નાણાં મંત્રાલયે પ્રી-બજેટ પ્રક્રિયા શરૂ કરી છે
- HC: ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે યતીન ઓઝા 19મી વખત ચૂંટાયા
- Ikkis ચેન્જ્ડ મી,’ અગસ્ત્ય નંદાએ શૂટિંગની વાર્તાઓ જાહેર કરી; બચ્ચન પરિવારના આ નિયમનો ખુલાસો કર્યો
- Bangladesh માં તોફાનીઓએ BNP નેતાના ઘરને આગ લગાવી દીધી, જેમાં 7 વર્ષની બાળકીને જીવતી સળગાવી દીધી





