પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Rajkot: માનવતા શરમમાં મુકાઈ, મુકબધીર સગીરા પર બળાત્કાર અને બ્લેકમેઇલિંગનો કિસ્સો આવ્યો સામે
- ગુજરાતનું Surat બનશે પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
- Gujarat: ૨૦૧૮ના પદ્માવત ફિલ્મ વિરોધ કેસમાં ગુજરાતની કાર્યવાહી પાછી ખેંચવાની અરજી કોર્ટે ફગાવી દીધી
- Gujarat સરકારે નવા વર્ષે બસ ભાડામાં વધારો કરીને નાગરિકોને આપ્યો ઝટકો, જાણો કેટલી મોંઘી થઈ ગઈ છે મુસાફરી
- અકસ્માત નહોતો, હત્યા હતી; અઢી મહિના પછી Surat પોલીસે ઉકેલી નાખ્યું હત્યાનું રહસ્ય





