પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Israel: ઇઝરાયલી હવાઈ હુમલામાં 15 પેલેસ્ટિનિયનોના મોત; સહાયની રાહ જોઈ રહેલા 20 અન્ય લોકોના પણ મોત
- America: વેપાર મંત્રણા પછી ભારતીય ટીમ અમેરિકાથી પરત, કૃષિ અને ઓટો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રહેશે
- Siraj: એજબેસ્ટનમાં ‘ડીએસપી સિરાજ’ની લાકડી કામ કરી ગઈ, બેટ્સમેનોએ 2 બોલમાં 20 હજાર રન બનાવ્યા
- Operation sindoor: ઓપરેશન સિંદૂરમાં ભારતે 3 દુશ્મનોને હરાવ્યા… ડેપ્યુટી આર્મી ચીફનું મોટું નિવેદન
- Taliban: આખી દુનિયામાં ક્રૂર તાલિબાનોની માંગ અચાનક કેમ વધી ગઈ છે?