વાપી શહેરમાં Ramnavmiની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો છે. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દેશના નેતાઓ અને રામ ભગવાનના પોસ્ટર સાથે નાથુરામ ગોડસેના બેનર પણ લગાવવામાં આવ્યા હતા.
આ બેનર પર ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન રામ ભગવાન, શિવાજી મહારાજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક મહાનુભાવોના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે.
કોંગ્રેસના અગ્રણીઓએ આ મામલે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોસ્ટર લગાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વલસાડ જિલ્લામાં રામ જન્મ મહોત્સવની વિવિધ સમિતિઓ અને રામ ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ વિવાદાસ્પદ બેનરને કારણે સમગ્ર મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે.
આ પણ વાંચો..
- Iran: ઈરાને ૫૦ દિવસ પછી હવાઈ ક્ષેત્ર ફરી ખોલ્યું; પૂર્વીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ
- CSK: ચેન્નઈનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર; મેથ્યુ શોર્ટ અને સરફરાઝ ખાન ક્રીઝ પર મજબૂત પકડ ધરાવે છે
- Pm Modi કોંગ્રેસ-સપાથી લઈને ડીએમકે સુધી… બિલ પસાર ન થવા બદલ પીએમ મોદીની ટીકા; કહ્યું, “બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ”
- hormuz: હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ: બે જહાજો પર ગોળીબાર બાદ ભારતનું વલણ શું છે? વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- Women reservation: અવરોધ કરવો અને ગેરમાર્ગે દોરવું એ તેમની નીતિ છે’: મહિલા અનામત બિલ પર, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે તેનો સાચો ચહેરો ઉજાગર કરી દીધો છે




