વાપી શહેરમાં Ramnavmiની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો છે. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દેશના નેતાઓ અને રામ ભગવાનના પોસ્ટર સાથે નાથુરામ ગોડસેના બેનર પણ લગાવવામાં આવ્યા હતા.
આ બેનર પર ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન રામ ભગવાન, શિવાજી મહારાજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક મહાનુભાવોના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે.
કોંગ્રેસના અગ્રણીઓએ આ મામલે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોસ્ટર લગાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વલસાડ જિલ્લામાં રામ જન્મ મહોત્સવની વિવિધ સમિતિઓ અને રામ ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ વિવાદાસ્પદ બેનરને કારણે સમગ્ર મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે.
આ પણ વાંચો..
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?
- Gujaratમાં ગેરકાયદેસર સંબંધો માટે પતિ બન્યો રાક્ષસ, પત્નીનું ગળું કાપીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો
- દારૂ પીનારાઓનું મુંડન, Gujaratના આ ગામમાં પંચાયતે લાગુ કર્યો નવો હુકમ





