Jamnagarની ભાગોળે આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સ સિનેમા ગૃહમાં આજે સવારે પુષ્પા ફિલ્મ રિલીઝ નહીં થઈ શકતાં દર્શકોએ હોબાળો મચાવીને તોડફોડ કરી હતી. વહેલી સવારે ૬.૩૦ વાગ્યાના શાત્ત માં ટેકનીકલ ખામી સર્જતાં શો રદ થવાથી દર્શકો ગુસ્સે ભરાયા હતા. જેથી સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ દર્શકોને રિફંડ આપી દેવાયું હતું.
Jamnagar: વહેલી સવારે ૬.૩૦ વાગ્યામાં ફિલ્મ જોવા પહોંચેલા પ્રેક્ષકોએ ધમાલ મચાવતાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને રિફંડ અપાયું
જામનગરમાં કાલાવડ બાયપાસ ચોકડી નજીક આવેલા પી.વી.આર. મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહમાં આજે સવારે જે સાડા છ વાગ્યે પુષ્પા ફિલ્મનો પ્રથમ શો રાખવામાં આવ્યો હતો, અને વહેલી સવારે પણ દર્શકો પ્રથમ શો નિહાળવા માટે પહોંચી ગયા હતા. ત્યાં પ્રથમ શાત્ત શરૂ થઈ શક્યો ન હતો અને તે માટે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેથી પ્રેક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાક પ્રેક્ષકોએ તો હોબાળો મચાવ્યો હતો, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. સિનેમા ગ્રહમાં રાખવામાં આવેલા પુષ્પા ફિલ્મના બેનર-પોસ્ટર પણ તોડી નાખ્યા હતા. જો કે પોલીસે પહોંચી જઈ મામલો શાંત પાડયો હતો, તેમ જ સિનેમા ગ્રહનાં સંચાલકો દ્વારા તમામ દર્શકોને રિફંડ આપી દેવાયું હતું, ત્યારબાદ આગળ નો શાત્તે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો અને મામલો થાળે પડી ગયો હતો.