Anand: આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા – કારણ હજી અકબંધ
માહિતી મુજબ ઈકબાલ મલેક સવારે વોક માટે બાકરોલ તળાવ પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે ઈકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસએ ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ખબર મળતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો
- Gujaratમાં હાઇ-સ્પીડ ચેઝનો દુઃખદ અંત, સ્મગલરોનો પીછો કરતા વન અધિકારી અને ટ્રક ડ્રાઇવરનું કરુણ મોત
- Ahmedabad: શહેરમાં 19 દિવસમાં પાણીજન્ય રોગોના 505 દર્દીઓ, 31 પાણીના નમૂના અયોગ્ય
- ‘હું ફક્ત જોઈ રહ્યો હતો…’ મુસાફરે Suratમાં ઇન્ડિગો ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલતા હાહાકાર મચી ગયો
- Gujarat: 11મું ધોરણ પાસ 18 વર્ષનો યુવક બન્યો ₹64 કરોડની સાયબર ઠગાઈનો માસ્ટરમાઇન્ડ, AIથી બનાવ્યા નકલી APK
- Gujaratમાં મોટા વહીવટી ફેરબદલ, 28 IAS અધિકારીઓની બદલી




