Anand: આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા – કારણ હજી અકબંધ
માહિતી મુજબ ઈકબાલ મલેક સવારે વોક માટે બાકરોલ તળાવ પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે ઈકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસએ ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ખબર મળતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો
- Tapi: ઉકાઈ ડેમ સોલર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ટોળાનો પોલીસ પર પથ્થરમારો, 2 પોલીસકર્મી ઘાયલ
- Women World Cup 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન; આને મળી કેપ્ટનશીપ
- Godhra: સિટી સર્વે કચેરીમાં ગેરરીતીનો ભંડાફોડ, નિયમ વિરુદ્ધના 2800થી વધુ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં ખળભળાટ
- China: ચીનના વિદેશ મંત્રી ઇસ્લામાબાદની મુલાકાત લેશે, 3 વર્ષમાં પાકિસ્તાનની પહેલી મુલાકાત
- Ahmedabad: ગુજરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની, એશિયન કપ 2026 ક્વૉલિફાયર અમદાવાદમાં યોજાશે