Anand: આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા – કારણ હજી અકબંધ
માહિતી મુજબ ઈકબાલ મલેક સવારે વોક માટે બાકરોલ તળાવ પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે ઈકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસએ ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ખબર મળતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો
- trump: શું આરબ વિશ્વની ભૂગોળ બદલાવાની છે? ઈરાન ટ્રમ્પના એક પણ ભૂલની રાહ જોઈ રહ્યું છે
- Iran: ‘હોર્મુઝ પર ઈરાનની સાર્વભૌમત્વને માન્યતા આપવી જોઈએ’: ઈરાને પાંચ શરતો મૂકી; ટ્રમ્પના પ્રસ્તાવને નકારી કાઢ્યો
- LPG: સિલિન્ડર ૩૫ દિવસમાં નહીં પણ ૨૫ દિવસમાં ડિલિવરી કરાશે: સરકારે ‘સમયરેખા સુધારણા’ પર સ્પષ્ટતા જારી કરી
- IPL 2026: ગુજરાત ટાઇટન્સમાં ફેરફાર; આ ખેલાડીની ટીમમાં અચાનક એન્ટ્રી
- Ramnavmi: ૨૬ માર્ચ કે ૨૭ માર્ચ: રામ નવમી ક્યારે છે? જાણો અયોધ્યામાં રામ જન્મોત્સવ ક્યારે ઉજવાશે





