Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Trump: ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાને ઈરાની મહિલા ફૂટબોલ ટીમને આશ્રય આપવા માટે કેમ અપીલ કરી?
- Trump: ઈરાનમાં ૧૬૫ છોકરીઓના મોત માટે કોણ જવાબદાર?: તપાસ જૂથે ટ્રમ્પના દાવા પર સવાલ ઉઠાવ્યા, અમેરિકાને ઘેરવા માટે વીડિયો જાહેર કર્યો
- Pm Modi એ નેપાળને ફોન કર્યો: બાલેન્દ્ર શાહ અને આરએસપી પ્રમુખ લામિછાને સાથે વાત કરી; ઐતિહાસિક ચૂંટણી વિજય બદલ અભિનંદન આપ્યા
- market: ક્રૂડ ઓઇલના ભાવમાં આગ લાગી છે, બજારો તૂટી રહ્યા છે, અને સોના અને ચાંદીમાં ઉથલપાથલ છે; સમગ્ર કટોકટીને પાંચ પ્રશ્નોમાં સમજો
- Rehman: જો તે રામાયણ માટે સંગીત બનાવી રહ્યા છે, તો…” સલીમ મર્ચન્ટ એઆર રહેમાનના સાંપ્રદાયિક નિવેદન સાથે અસંમત





