Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Surat: હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ થયો, આ રીતે ખુલ્યું રહસ્ય; મૃતકના બે મિત્રોની ધરપકડ, બે ફરાર
- Gujarat: ધોળા દિવસે શું થઈ રહ્યું છે? મતદાન મથકના CCTV કામ કરતા બંધ થતા અરવિંદ કેજરીવાલ ગુસ્સે થયા
- Gujaratમાં મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહીં, જુઓ પેટાચૂંટણીમાં કેટલા લોકોએ કર્યું મતદાન?
- Indigo: મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ
- Ahmedabad plane crash સ્થળે ‘સ્મૃતિ વન’ બનાવવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાત સરકારના મંત્રીએ આપ્યું મોટું નિવેદન