Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- iran: હોર્મુઝ માટે ટ્રમ્પનો ‘પ્લાન-જી’ શું છે? – જેનો જવાબ ઈરાન આપે છે: “અમેરિકન સૈનિકોને સમુદ્રમાં કબર પણ નહીં મળે.”
- petrol: પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર નાણામંત્રી: ‘લોકડાઉન માટે કોઈ પ્રસ્તાવ નથી’; પેટ્રોલ, ડીઝલ અને પાકિસ્તાન પર તેમણે શું કહ્યું તે અહીં છે
- RCB સ્ટાર ખેલાડી ભાગ્યે જ બચી ગયો: તાલીમ સત્ર દરમિયાન ‘દુર્ઘટના’ થઈ; કોચે દેખાડ્યું સમજદારી
- army: ભારતની લશ્કરી શક્તિમાં વધારો થવાનો અંદાજ: ₹2.38 લાખ કરોડના સંરક્ષણ સોદા મંજૂર; વધારાની S-400 ખરીદીને મંજૂરી
- pm modi: પશ્ચિમ એશિયા કટોકટી: પીએમ મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક શરૂ; તૈયારીઓ સમીક્ષા હેઠળ





