Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Sheikh haseena: ‘શેખ હસીના પોતે વિદ્યાર્થી આંદોલનને કચડી નાખવાના આદેશો આપી રહી હતી…’, બાંગ્લાદેશ કોર્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન પર ગંભીર આરોપ
- Amit shah: પહેલા સામ્યવાદીઓ, પછી ટીએમસી… તેમણે બંગાળને ગુનાનું કેન્દ્ર બનાવ્યું’, અમિત શાહનું કોલકાતામાં નિવેદન
- Abbas Ansari નું ધારાસભ્ય પદ સમાપ્ત: બેઠક ખાલી જાહેર, ચૂંટણી પંચને માહિતી મોકલવામાં આવી
- Preity Zinta: ક્વોલિફાયર-2 પહેલા ‘મા’ ના શરણમાં પહોંચી પ્રીતિ ઝિન્ટાએ કર્યું મોટું વચન
- Gaza: ગાઝામાં ઇઝરાયલી સહાય કેન્દ્રમાંથી રાહત સામગ્રી લેવા જઈ રહેલા પેલેસ્ટિનિયનો પર ગોળીબાર, 25 લોકોના મોત