Air India Flight Cancelled: એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. લંડનમાં તેનો આગમન સમય સાંજે 6.25 વાગ્યે જણાવવામાં આવ્યો હતો.
12 જૂનને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના આસું હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં વધુ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI -159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1.10 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ થવાની હતી. તે દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ફ્લાઈટ ટેક ઓફના માત્ર થોડાક જ કલાકોમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. સદનસીબેે, સમયસર આ ખામી પર ધ્યાન આવતાં વધુ એક મોટી દૂર્ઘટના થતાં ટળી છે. સાથે જ નિર્દોષ મુસાફરોનો જીવ પણ બચી ગયો છે. જો કે, આ ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લંડન જવા નીકળેલા કેટલાય યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો
- delhi airport: અચાનક વાવાઝોડા દરમિયાન ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ શિફ્ટ થયા બાદ દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના ત્રણ વિમાનોને નુકસાન થયું
- visa: યુએસ કોંગ્રેસમેન મુખ્ય ઇમિગ્રેશન બિલમાં ગ્રીન કાર્ડના માર્ગ તરીકે H-1B વિઝાને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકે છે
- kangana કંગના રનૌતે નર્સોના ગણવેશ પર ચર્ચા જગાવી, વસાહતી યુગના ડ્રેસ કોડના ભારતીય વિકલ્પની હાકલ કરી
- amit shah ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ લોન્ચ કરશે; ભારતના સરહદી વેપારને એરપોર્ટ જેવી કાર્યક્ષમતા મળશે
- iran: ઈરાને કુવૈત અને બહેરીનમાં યુએસ બેઝ પર હુમલો કર્યો; વોશિંગ્ટને તેહરાનના રડાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો




