Air India Flight Cancelled: એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. લંડનમાં તેનો આગમન સમય સાંજે 6.25 વાગ્યે જણાવવામાં આવ્યો હતો.
12 જૂનને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના આસું હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં વધુ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI -159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1.10 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ થવાની હતી. તે દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ફ્લાઈટ ટેક ઓફના માત્ર થોડાક જ કલાકોમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. સદનસીબેે, સમયસર આ ખામી પર ધ્યાન આવતાં વધુ એક મોટી દૂર્ઘટના થતાં ટળી છે. સાથે જ નિર્દોષ મુસાફરોનો જીવ પણ બચી ગયો છે. જો કે, આ ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લંડન જવા નીકળેલા કેટલાય યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો
- Sanskrit: પ્રાચીન ભાષાના જતન-સંવર્ધનથી જન-જન સુધી સંસ્કૃત ભાષા પહોંચાડવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોન્ચ
- AIR INDIA FLIGHTS: ટેકનિકલ ખામીને કારણે દિલ્હી-પેરિસ એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ
- Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના ક્રિકેટરનું મોત
- Ahmedabad plane crash: ફાધર્સ ડેના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું પરંતુ માતાનો DNA મેચ થયો અને….
- Iran vs Israel: પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા G7 દેશોની અપીલ