Ahmedabad : ગુજરાતમાં SGST વિભાગ એક્શનમાં આવ્યો છે. તમાકુ અને વાસણના 13 વેપારીઓ પર 83 સ્થળો પર દરોડા પાડ્યાં છે. આ દરોડામાં બિલ વિનાના વેચાણના દસ્તાવેજો મળ્યા મળ્યા છે. મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે. તમાકુ અને વાસણના 13 વેપારીઓ સામે કાર્યવાહીગુજરાતમાં SGST વિભાગે તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કર ચોરી અટકાવવા માટે SGST વિભાગ એક્શનમાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં વાસણ વેચાણ સાથે સંકળાયેલા 13 સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તમાકુ-વાસણના વેપારી પેઢી દ્વારા બિલ વિના માલના ખરીદ વેચાણ થકી કર ચોરીની મોડસ ઓપરેન્ડી શોધી કાઢવામાં આવી છે.
70 સ્થળોએ SGSTના દરોડામળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં કર ચોરી કરતી પેઢી સામે સ્ટેટ GST વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. SGST વિભાગ દ્વારા તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે તપાસ હાથ ધરી છે. કર ચોરી અટકાવવા માટે SGST વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં વાસણ વેચાણ સાથે સંકળાયેલા 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુના વેપારીઓના 70 સ્થળોએ પણ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
તમાકુ-વાસણના 13 વેપારીઓને ત્યા દરોડા દરમિયાન બિલ વિના માલના ખરીદ-વેચાણ થકી કર ચોરીની મોડસ ઓપરેન્ડીને SGST વિભાગે શોધી કાઢી છે. હજુ પણ તમાકુ-વાસણની પેઢીઓને ત્યા SGST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.
આ પણ વાંચો..
- vaibhav suryavanshi: વસીમ અકરમે PSL સામે અરીસો ધર્યો: વૈભવનું ઉદાહરણ આપીને પૂછ્યું – ૧૦ વર્ષમાં સૂર્યવંશી જેવા કેટલા બેટ્સમેન તૈયાર થયા?
- xi jinping: પીએમ મોદીને મળવા શી જિનપિંગ નવી દિલ્હી પહોંચ્યા; સાત વર્ષ પછીની આ મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?
- ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડો અને મનરેગા યોજના હેઠળ રોજગારીના દિવસોમાં વધારો કરો : Isudan Gadhvi
- વંદે માતરમના અપમાન મામલે કોંગ્રેસના ધારાસભ્ય Imran Khedawalaની મુશ્કેલીઓ વધી; સ્પીકરે વિશેષાધિકાર સમિતિને આપ્યો તપાસનો આદેશ
- Ahmedabadના લાંભામાં ખાદ્ય તેલના રિપેકિંગ યુનિટ પર AMCની કાર્યવાહી, 3.93 લાખ રૂપિયાથી વધુનું તેલ જપ્ત




