પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાંથી ધરપકડ કરાઈ છે. CBIની માંગણી સ્વીકાર્યા બાદ બેલ્જિયમ સરકારે ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓ સાથે સંલગ્ન રહી હતી, જેથી આ કૌભાંડમાં સંલગ્ન આરોપીનો પકડ થઈ શકે.
2018માં મેહુલ ચોક્સી ભારતથી ફરાર થયો હતો અને તેના પર પંજાબ નેશનલ બેન્કમાં આશરે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં મેહુલ અને તેની કંપની પર નફાની હેરફેર અને ખોટનો દાવો કરવામાં આવ્યો છે.

હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
ચોકસીની ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, કેન્દ્રની તપાસ એજન્સીઓ બેલ્જીયમ સરકાર પાસે તેનો જાપ્તો મેળવી ભારત લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો..
- Panchmahal: નવરાત્રિ દરમિયાન પાવાગઢ શક્તિપીઠના દર્શન સમયમાં ફેરફાર
- Ahmedabad: ગુજરાતમાં માજી સૈનિકોની અવગણના! 100થી વધુ ભૂતપૂર્વ સૈનિકોએ ભાજપ છોડીને આપ્યું રાજીનામું
- ખેડૂતો વતી અરજી આપતા ગામસેવક ખેતર ઉપર જઈને તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવશે: Gopal Italia
- Ahmedabad: ‘ચાર-ચાર બંગડીવાળી’ ગીત વિવાદ, ગાયિકા કિંજલ દવેને હાઈકોર્ટનો ઝટકો, 7 ડિસેમ્બર સુધી જાહેર મંચ પર ગાવા પર પ્રતિબંધ યથાવત્
- Ahmedabad: એર ઈન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટના, બોઇંગ અને હનીવેલ સામે મૃતકોના પરિવારોનો કોર્ટ કેસ