પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાંથી ધરપકડ કરાઈ છે. CBIની માંગણી સ્વીકાર્યા બાદ બેલ્જિયમ સરકારે ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓ સાથે સંલગ્ન રહી હતી, જેથી આ કૌભાંડમાં સંલગ્ન આરોપીનો પકડ થઈ શકે.
2018માં મેહુલ ચોક્સી ભારતથી ફરાર થયો હતો અને તેના પર પંજાબ નેશનલ બેન્કમાં આશરે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં મેહુલ અને તેની કંપની પર નફાની હેરફેર અને ખોટનો દાવો કરવામાં આવ્યો છે.

હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
ચોકસીની ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, કેન્દ્રની તપાસ એજન્સીઓ બેલ્જીયમ સરકાર પાસે તેનો જાપ્તો મેળવી ભારત લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો..
- Amreli: બાબરાના કોટડા પીઠા ગામમાં ચરાણ જમીન બાબતે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
- Ahmedabad: સિવિલ હોસ્પિટલના પ્રોફેસર ટેલિગ્રામ ટ્રેડિંગનો ભોગ બન્યા, છેતરપિંડી કરનારાઓએ તેમની સાથે 70.65 લાખ રૂપિયા પડાવી લીધા
- Ahmedabad News: ક્રિકેટ રમતા બાળકો વચ્ચે થયેલી લડાઈમાં માતા-પિતાએ દરમિયાનગીરી કરી, મહિલા પર હુમલો કર્યાનો આરોપ
- Gujarat: રાજ્યમાં માવઠા-વાવાઝોડાનો ખતરો, પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે, આ જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના
- CM Bhupendra Patelનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય





