પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાંથી ધરપકડ કરાઈ છે. CBIની માંગણી સ્વીકાર્યા બાદ બેલ્જિયમ સરકારે ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓ સાથે સંલગ્ન રહી હતી, જેથી આ કૌભાંડમાં સંલગ્ન આરોપીનો પકડ થઈ શકે.
2018માં મેહુલ ચોક્સી ભારતથી ફરાર થયો હતો અને તેના પર પંજાબ નેશનલ બેન્કમાં આશરે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં મેહુલ અને તેની કંપની પર નફાની હેરફેર અને ખોટનો દાવો કરવામાં આવ્યો છે.

હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
ચોકસીની ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, કેન્દ્રની તપાસ એજન્સીઓ બેલ્જીયમ સરકાર પાસે તેનો જાપ્તો મેળવી ભારત લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો..
- Gujarat: બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માતો, જેમાં 4 લોકોના કરુણ મોત.
- Entertainment: રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડા ઉદયપુરમાં શાહી ધામધૂમથી લગ્ન કરશે, તારીખ અને સ્થળ નક્કી!
- Jamnagar: મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પર ખૂની હુમલો, કાઉન્સિલર સહિત છ લોકો સામે ગુનો નોંધાયો
- Ahmedabad: કરોડોના ખર્ચે બનેલો આ પુલ માત્ર છ વર્ષમાં જ ખરાબ, સાંધા ખૂલી જતાં લોકોનો જીવને જોખમ
- Patan: ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ! કિરીટ પટેલે રાજીનામું આપવાની ધમકી આપી





