Gujaratમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી એક મહિલાનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
શહેરા પોલીસને પરિવારજનો દ્વારા જાણ કરવામા આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. Gujaratમાં એકતરફ તાંત્રિકો, ભૂવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી અને લોકોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેવા સમયે આ મહિલાની તાંત્રિક વિધીમા હત્યા કરવામા આવી હોવાની શંકાઓની પણ લોકચર્ચાઓ થઈ રહી છે. જોકે પોલીસ તપાસમા સત્ય બહાર આવશે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલા રંજનબેન પટેલની લાશ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મળી આવી હતી. લાશ ગળે ટુપો દીધેલી અવસ્થામાં હતી. રજંનબેનના પતિ સહિતના પિયરપક્ષના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, લાશ પાસેથી નાળિયેર અને ફુલ મળી આવ્યા હતા. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ઘટનાની જાણ થતા શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટ મોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે લાવામા આવી હતી. આ મામલે પોલીસે પરિવારજનો ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Gujarat: ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 22 દર્દીઓના મોત, જ્યારે હાલમાં 7 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે
- Delhi: મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સના કારણે 12 મુસાફરો ઘાયલ થયા
- Ahmedabad: સરખેજમાં યુવકે આત્મહત્યા કરી, મૃત્યુ પહેલા વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવા બદલ બે લોકો સામે ગુનો નોંધાયો
- Ahmedabad: ટોલ ટેક્સ 510 રૂપિયા છે, પરંતુ રસ્તા પર અનેક જગ્યાએ ખાડા છે! અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહન ચાલકો માટે મોટો ખતરો
- Ahmedabad: લગ્નના બે મહિનામાં જ સાસરિયાઓએ દુલ્હન પર ત્રાસ ગુજાર્યો, 35 તોલા સોનું અને લાખો રૂપિયા લૂંટી લીધા




