Gujaratમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી એક મહિલાનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
શહેરા પોલીસને પરિવારજનો દ્વારા જાણ કરવામા આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. Gujaratમાં એકતરફ તાંત્રિકો, ભૂવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી અને લોકોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેવા સમયે આ મહિલાની તાંત્રિક વિધીમા હત્યા કરવામા આવી હોવાની શંકાઓની પણ લોકચર્ચાઓ થઈ રહી છે. જોકે પોલીસ તપાસમા સત્ય બહાર આવશે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલા રંજનબેન પટેલની લાશ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મળી આવી હતી. લાશ ગળે ટુપો દીધેલી અવસ્થામાં હતી. રજંનબેનના પતિ સહિતના પિયરપક્ષના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, લાશ પાસેથી નાળિયેર અને ફુલ મળી આવ્યા હતા. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ઘટનાની જાણ થતા શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટ મોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે લાવામા આવી હતી. આ મામલે પોલીસે પરિવારજનો ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- દિવ્યાંગ કર્મચારીએ વ્હીલચેર પરથી કર્યું ‘બંજી જમ્પિંગ’, Gautam Adani પ્રભાવિત થયા, કહ્યું ‘ઇચ્છાશક્તિ મહત્વપૂર્ણ છે’
- Hurun Global Rich List 2025 : ભારતમાં સૌથી વધુ સંપતિ મેળવનાર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, દેશમાં હાલ 284 અબજોપતિ
- રાજ્યના શિક્ષણ મંત્રીના નામે બનાવાયું ફેક ફેસબુક એકાઉન્ટ, Ahmedabad સાયબર ક્રાઈમમાં કરી ફરિયાદ
- આસારામ બાપુને મોટી રાહત, Gujarat હાઈકોર્ટે લંબાવી 3 મહિના વચગાળાની જામીન
- BJP નેતાના કારણે પરીવાર ત્રાહીમામ, મિત્રતામાં કરોડો રૂપિયાનું કરી નાખ્યાના આક્ષેપ