Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Indigo: ક્રૂ મેનેજમેન્ટથી લઈને રિફંડ સુધી… તપાસ સમિતિના બે કલાકના ‘ક્લાસ’ દરમિયાન ઇન્ડિગોએ શું કહ્યું?
- Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે આરોપી હર્ષલ લાહિરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ પર
- IND vs SA 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી20આઈ રમાશે. પ્લેઇંગ ઇલેવન અને લાઇવ સ્ટ્રીમિંગ વિગતો મેળવો.
- Fire at a Goa nightclub: ગોવામાં આગની ઘટના પર મોટા સમાચાર, ક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઇલેન્ડમાં અટકાયત
- Rajkot: એક યુવકે તેની મહિલા સહકર્મીને વાળથી પકડીને માર મારીને કરી હત્યા,ઘટના CCTVમાં કેદ





