Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Weather update: કચ્છમાં વાવાઝોડું, અમદાવાદમાં વાવાઝોડું, રાજકોટમાં 1 ઇંચ વરસાદ
- Narmada: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું ભવ્ય ઉદ્ઘાટન ‘નર્મદા હર’ ના નારા સાથે થયું, સાધુઓ-સંતો અને ભક્તો સ્થળ પર ઉમટી પડ્યા
- Panchmahal News: શહેરાના બાહી ગામ નજીક કુન નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે તપાસ શરૂ
- Entertainment Update: ‘ધૂરંધર 2’ એ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી દીધી, માત્ર અડધા દિવસમાં ‘બોર્ડર 2’ નો રેકોર્ડ તોડી નાખ્યો
- Banaskantha: ચૌધરી અને રબારી સમુદાય વચ્ચે વિવાદ, ઉનમાં હિંસક અથડામણને મોટું કાવતરું, સાધુઓએ શાંતિની અપીલ કરી





