Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Closing Bell : શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું, સેન્સેક્સ 74,030 પર સ્થિર થયો, નિફ્ટી પણ ઘટ્યો
- Delhiના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી : વધુ એક ફરીયાદ નોંધાશે
- અસુરક્ષિત Gujarat : સપ્તાહમાં રેગિંગની ત્રીજી ઘટના, 12માં ધોરણના વિદ્યાર્થીને હોસ્ટેલમાં કર્યુ એવુ કે…
- Gujarat: શત્રુંજય પર્વત સાથે જોડાયેલા 10 ગામોનો વિકાસ કરાશે, 6 રોડ પ્રોજેક્ટ મંજૂર
- Ahmedabad-Vadodara એક્સપ્રેસ વે પર કેમિકલ ગેસ ફેલાયો, ટેન્કર પલટી જતાં 5 કિમી વિસ્તારમાં ભયનો માહોલ