Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- air india: ‘હબ-એન્ડ-સ્પોક’ (hub-and-spoke) સિસ્ટમ શું છે અને એર ઈન્ડિયા સાથે સંકળાયેલી ઈમિગ્રેશન (આગમન-પ્રસ્થાન નિયંત્રણ) સંબંધિત ચૂક ક્યાં થઈ?
- UCC પર ઓવૈસીનું મહત્વનું નિવેદન: એક ધર્મના કાયદા બીજા પર લાદવા તે ખોટું છે; ભાજપના સહયોગી પક્ષોને તેનો વિરોધ કરવા અપીલ
- મોહન ભાગવત: UGCના પ્રસ્તાવિત નિયમો પર સંઘ પ્રમુખનું મહત્વપૂર્ણ નિવેદન—કહ્યું કે આ માત્ર એક ડ્રાફ્ટ છે અને કાયદો બનશે નહીં
- 15 ઓક્ટોબરથી UPIના નિયમો બદલાશે! ટ્રાન્ઝેક્શન ફી ₹5 થી ₹300ની વચ્ચે રહેશે
- Shahrukh khan: ફિલ્મ હજુ પૂરી નથી થઈ; એકલો ‘કિંગ’ જ કાફી છે”… શાહરૂખ ખાને ‘કિંગ’ ફિલ્મનો એક સંવાદ સંભળાવ્યો




