Ahmedabad : સીઝફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવર-જવર શરૂ થઈ ગઈ છે. જોકે, આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ છે.
અમદાવાદ-શ્રીનગરની વન-વે ફ્લાઇટનો ગુરૂવારથી રાબેતા મુજબ પ્રારંભ થશે. 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ-શ્રીનગરનું વન-વે એરફેર 14 હજારને પાર જતું હોય છે. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિને પગલે એરફેર રૂપિયા 7 હજાર છે.
શ્રીનગર, અમૃતસરના બુકિંગ થયા કેન્સલ
આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે. જેનું એરફેર હાલમાં રૂપિયા 6500ની આસપાસ છે. સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9 હજારને પાર જતું હોય છે. જાણકારોના મતે, આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત્ છે. સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે. મોટાભાગના લોકો શ્રીનગર, અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક પર વઘુ પસંદગી ઉતારી રહ્યા છે.
આ પણ વાંચો.
- Gujaratમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’: 568 બાંગ્લાદેશીઓની ધરપકડ, 5000 રૂપિયા આપીને આધાર કાર્ડ બનાવ્યા
- Gujarat: સાસુને ધમકી આપી, પુત્રવધૂનું અપહરણ કર્યું… દોષિત આરોપીએ પેરોલમાંથી ભાગીને ભૂતપૂર્વ પ્રેમિકાનું કર્યું અપહરણ
- Gujarat: શિક્ષિકા પત્નીની હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો, આચાર્યની ક્રૂરતા સામે આવી
- Ahmedabad બન્યું યોગાસનનું વૈશ્વિક કેન્દ્ર, 78 દેશોના ખેલાડીઓ આવ્યા એક મંચ પર
- Ahmedabad: પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કરવા બદલ મહિલા PSI સસ્પેન્ડ, FIR નોંધાતા મુશ્કેલી વધી




