Ahmedabad : સીઝફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવર-જવર શરૂ થઈ ગઈ છે. જોકે, આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ છે.
અમદાવાદ-શ્રીનગરની વન-વે ફ્લાઇટનો ગુરૂવારથી રાબેતા મુજબ પ્રારંભ થશે. 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ-શ્રીનગરનું વન-વે એરફેર 14 હજારને પાર જતું હોય છે. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિને પગલે એરફેર રૂપિયા 7 હજાર છે.
શ્રીનગર, અમૃતસરના બુકિંગ થયા કેન્સલ
આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે. જેનું એરફેર હાલમાં રૂપિયા 6500ની આસપાસ છે. સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9 હજારને પાર જતું હોય છે. જાણકારોના મતે, આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત્ છે. સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે. મોટાભાગના લોકો શ્રીનગર, અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક પર વઘુ પસંદગી ઉતારી રહ્યા છે.
આ પણ વાંચો.
- Pakistan: પાકિસ્તાનીઓ સંભવિત ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે; સરકારના નિર્ણયથી હોબાળો મચી ગયો છે
- iran: ઈરાન સાથે યુદ્ધ અને સાઉદી અરેબિયા માટે પાસ… શું અમેરિકા પરમાણુ મુદ્દા પર બેવડી રમત રમી રહ્યું છે?
- oil: તેલના ભાવ ફરી વધ્યા! બ્રેન્ટ ક્રૂડ $95 ને વટાવી ગયું; શું તે $100 ને સ્પર્શશે?
- Ranveer singh: ‘લોકા’ ફેમ કલ્યાણી પ્રિયદર્શન ‘પ્રલય’માં ખતરોનો સામનો કરશે; રણવીર સાથે એક્શન મોડમાં જોવા મળશે
- NEET: પીએમ આવાસના વિરોધથી લઈને લોકસભાના ફ્લોર સુધી… અખિલેશ યાદવ કોંગ્રેસથી કેમ નારાજ છે?




