Ahmedabad : સીઝફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવર-જવર શરૂ થઈ ગઈ છે. જોકે, આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ છે.
અમદાવાદ-શ્રીનગરની વન-વે ફ્લાઇટનો ગુરૂવારથી રાબેતા મુજબ પ્રારંભ થશે. 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ-શ્રીનગરનું વન-વે એરફેર 14 હજારને પાર જતું હોય છે. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિને પગલે એરફેર રૂપિયા 7 હજાર છે.
શ્રીનગર, અમૃતસરના બુકિંગ થયા કેન્સલ
આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે. જેનું એરફેર હાલમાં રૂપિયા 6500ની આસપાસ છે. સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9 હજારને પાર જતું હોય છે. જાણકારોના મતે, આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત્ છે. સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે. મોટાભાગના લોકો શ્રીનગર, અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક પર વઘુ પસંદગી ઉતારી રહ્યા છે.
આ પણ વાંચો.
- Chinaમાં ધુમ્મસ છવાયું છે, અબજો ડોલર અને વર્ષોની મહેનત છતાં વાયુ પ્રદૂષણ ખતરનાક
- Trump: વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, તો અમેરિકાએ તેના પર ચોરીનો આરોપ કેમ લગાવ્યો?
- Lok sabha: મનરેગાના સ્થાને લોકસભામાં એક નવું રોજગાર બિલ “જી-જી રામ જી” પસાર, વિપક્ષી સાંસદોએ બિલના પાના ફાડી નાખ્યા
- Bangladesh માં ચૂંટણી લડનારા દરેક ઉમેદવારને બંદૂક મળશે, સરકારે આ નિર્ણય કેમ લીધો તે જાણો
- Lalit Modi: લંડનમાં બે ભાગેડુ ફરી ભેગા થયા; લલિત મોદીએ વિજય માલ્યાનો 70મો જન્મદિવસ ઉજવ્યો





