Ahmedabad : હાંસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લલ્લુરામના અન્ય સમાચારની લિંક નીચે આપેલી છે.
- Aishwarya: ઐશ્વર્યાને જોઈને યુઝર્સને માઈકલ જેક્સનની યાદ કેમ આવતી? જાણો કનેક્શન
- Hormuz: શું હવે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે ટેક્સ ફરજિયાત બનશે? ઈરાન-અમેરિકા વાટાઘાટો વચ્ચે ઓમાન એક મોટું નિવેદન બહાર પાડ્યું
- Afghanistan: અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ; કાશ્મીરથી હરિયાણા સુધી આંચકા અનુભવાયા
- Gulmarg: ગુલમર્ગ, જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટ: એકનું મોત, અનેક ઘાયલ; વિસ્તારમાં ભયનો માહોલ
- cyber: સ્કેમર્સ પીડિતોને ફસાવવા માટે નકલી સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ બનાવે છે; અહીં કેવી રીતે સુરક્ષિત રહેવું ?




