Ahmedabad : હાંસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લલ્લુરામના અન્ય સમાચારની લિંક નીચે આપેલી છે.
- Hamas: હમાસ નેતાઓ પર ઇઝરાયલી હુમલો નિષ્ફળ ગયો, પરંતુ ગાઝા શાંતિ પ્રયાસોને ફટકો પડ્યો
- Pakistan: પાકિસ્તાની ખેલાડીને માત્ર 31 વર્ષની ઉંમરે નિવૃત્તિ કેમ લેવી પડી? PCBનો ‘અત્યાચાર’ કારણ બન્યો!
- Nepal: પીએમ ઓલીના રાજીનામા પછી પણ હિંસા બંધ ન થઈ, સંસદ સહિત અનેક ઇમારતો સળગાવી દેવામાં આવી; ટોચના નેતાઓને માર મારવામાં આવ્યો
- Sudan Gurung કોણ છે? જેમણે પોતાની ઇવેન્ટ કારકિર્દી છોડીને સામાજિક કાર્યકર બન્યા અને પછી નેપાળની સત્તાને હચમચાવી દીધી
- Nepalમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે એરપોર્ટ પર ફસાયેલા 400 ભારતીયો, પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી!