કાજલબેન ઠક્કરનો રીપોર્ટ..
Ahmedabad : અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાદે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો.
મૂળ અમદાવાદનો રહેવાસી આ લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ નહતો લાગ્યો. જોકે, આ વિશે તપાસ કરતા બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ, સ્થાનિક કેટલાંક રાજકીય નેતાઓ પણ ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતાં. જે આ ગેરકાયદે આવનારા લોકોના દસ્તાવેજ બનાવી આપવાનું કામ કરતા હતાં. લલ્લા બિહારીની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો..
- vaibhav: ઈંગ્લેન્ડ પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીને અલગ રૂમ કેમ આપવામાં આવ્યો? બાળ સુરક્ષા નિયમોને સમજવું
- shreyas: શ્રેયસ ઐયરે ઇન્સ્ટાગ્રામ પર બીજી જન્મ તારીખ કેમ ઉમેરી? ચાહકો તેના અર્થ વિશે ઉત્સુક છે
- NEET UG 2026 ની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી; 28 જૂન સુધી વાંધો ઉઠાવવાની તક
- lpg: ઉદ્યોગો માટે મોટી રાહત: સરકારે LPG પુરવઠા પરના નિયંત્રણો હટાવ્યા
- PoJK માં વિરોધ પ્રદર્શનનો 17મો દિવસ; રાવલકોટમાં 50,000 થી વધુ લોકો વિશાળ રેલીમાં જોડાયા




