કાજલબેન ઠક્કરનો રીપોર્ટ..
Ahmedabad : અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાદે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો.
મૂળ અમદાવાદનો રહેવાસી આ લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ નહતો લાગ્યો. જોકે, આ વિશે તપાસ કરતા બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ, સ્થાનિક કેટલાંક રાજકીય નેતાઓ પણ ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતાં. જે આ ગેરકાયદે આવનારા લોકોના દસ્તાવેજ બનાવી આપવાનું કામ કરતા હતાં. લલ્લા બિહારીની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો..
- Fever: શું તાવ આવે ત્યારે સ્નાન કરવું યોગ્ય છે? નિષ્ણાતો શું કરવું અને શું ન કરવું તે અંગે વિચારણા કરે છે
- NIA: આતંકવાદી ષડયંત્રના આરોપસર એક અમેરિકન સહિત સાત વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ દાખલ; UAPA આરોપો પડતા મૂકવામાં આવ્યા
- UK: એર ટ્રાફિક કંટ્રોલમાં ટેકનિકલ ખામી; લગભગ 300 ફ્લાઇટ્સ રદ; હીથ્રો અને ગેટવિક સહિત અનેક એરપોર્ટ્સ પ્રભાવિત થયા.
- rajpal yadav: રાજપાલ યાદવની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી, આ શરત મૂકી
- PCB: શું પીસીબીએ કેપ્ટન સાથે સલાહ લીધા વિના નિર્ણય લીધો? ખેલાડીઓની બાદબાકી અંગે બાબરનું આશ્ચર્યજનક નિવેદન; તે આ પગલાથી દૂર છે




