Ahmedabad : નિકોલમાં ગોપાલ ચોક પાસે વરસાદી પાણી અને ગટર ઉભરાઈ જવાના કારણે ઠક્કરબાપા નગર, નરોડા, નિકોલ અને વિવિધ વિસ્તારના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ માટે તંત્ર દ્વારા સમ્પ બનાવી 300 એમ.એમ વ્યાસની રાઈઝિંગ લાઈન ખારીકટ કેનાલ સુધી નાખવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં આ વિસ્તારમાં ભરાઈ જતાં પાણીમાંથી લોકોને છુટકારો મળી રહેશે. જેના માટે આગામી 9 મહિનામાં 52.93 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેના માટેનો કોન્ટ્રાક્ટ સોંપવાની પણ કામગીરી કરવામાં આવશે.
છેલ્લા થોડાં સમયથી અવરનવર ગોપાલ ચોક અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા અને ગટર ઉભરાઈ જવાની ફરિયાદ સ્થાનિકોની રહેલી છે. જેના માટેનો નિકાલ કરતાં ગોપાલ ચોક પાસે આંગણવાડીની પાછળના ભાગમાં ખુલ્લા સ્થાન પર સંમ્પ બનાવી તેમાં ગોપાલ ચોકથી સ્ટ્રોમવોટર લાઈનનું નેટવર્ક નાંખવાનું તથા સંમ્પ માંથી 300 એમ.એમ ડાયાની ડીઆઈ રાઈઝિંગ લાઈન ખારીકટ કેનાલ સુધી નાખવામાં આવશે. આ માટે પાણીના નિકાલ માટે પણ યોગ્ય સંમ્પની ગોઠવણ કરવામાં આવશે. જેના માટે રૂ.52,93,754 (જીએસટી સિવાય)ના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જે માટેનો કોન્ટ્રાક્ટ સોંપીને કામગીરી ઝડપથી આગળ વધારવા માટેની સૂચના આપવામાં આવી છે. આ લાઈન ખારીકટના 900 એમ.એમ વ્યાસના સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ કરવામાં આવશે.
.3.40 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નખાશે
ઉત્તર ઝોનના નરોડામાં પુષ્પક પમ્પિંગ પાસે અમુલ ચાર રસ્તાથી યોગી સર્કલ સુધી સ્ટોર્મ વોટર લાઈન નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નરોડા ટીપી.2 વિસ્તારમાં પાણીનો પુષ્કળ ભરાવો થઈ રહ્યો છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહેવાની વિવિધ ફરિયાદો સામે આવી રહી છે. આ માટે નવી 1600 એમ.એમ વ્યાસની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની રહેણાંક વિસ્તકાર જેમાં મુખ્યત્વે રાધે ટેનામેન્ટ, મધુવન ગ્લોરી, આકશ ગંગા જેવી સોસાયટીના લોકોને રાહત મળી રહેશે.
આ પણ વાંચો..
- Jammu Kashmir : દુશ્મનના ગોળીબારથી બચવા માટે વધુ બંકર બનાવવામાં આવશે, હવે તેમની સંખ્યા જાણો
- Deepika Padukone: દુઆના જન્મ પછી, દીપિકા પાદુકોણ પ્રભાસની આ ફિલ્મથી કમબેક કરશે, તેની ફી સાંભળીને તમે ચોંકી જશો
- પ્રક્રિયા વિના પ્રતિબંધ ખતરનાક છે… અવામી લીગ પ્રતિબંધ પર ભારતનું bangladeshને સ્પષ્ટ નિવેદન
- Virat Kohli: ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતના ભૂતપૂર્વ બોલિંગ કોચે ખુલાસો કર્યો, ‘વિરાટ પ્રેક્ટિસ મેચ ટાળતો હતો’
- Pakistan: પીએમ મોદીની ચેતવણીથી પાકિસ્તાન સ્તબ્ધ; કહ્યું- કરારના દરેક મુદ્દાને સ્વીકારીશું